Western Times News

Gujarati News

મૌલાના સહિત અન્ય આરોપીના મોબાઈલ FSLમાં મોકલાયા

અમદાવાદ, કિશન ભરવાડ હત્યા કેસમાં ઝડપાયેલા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની ગુજરાતના ક્યાં ક્યાં શહેરોમાં ગયા હતો હતો અને કોને કોને મળ્યો હતો તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ તે સંખ્યાબંધ વખત આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેણે સંપર્કમાં આવેલા સંખ્યાબંધ યુવાનોને કટ્ટરવાદી બનાવવાના પ્રયાસ કર્યા હતા.

કિશન ભરવાડ હત્યા કેસમાં ઝડપાયેલા તમામ આરોપીના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટ્રૂમેન્ટ્‌સ હ્લજીન્માં તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા પોલીસે કિશન ભરવાડની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્થાનિક વિસ્તારના શબ્બીર ચોપડા અને તેના મિત્ર ઈમ્તિયાઝ પઠાણે કિશન ભરવાડને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલાના એયુબના સંપર્કમાં ઘણા લાંબા સમયથી રહેતો અને અગાઉ પણ પોરબંદરના સાજણ ઓડેદરા નામના યુવકને વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા બદલ સજા આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ સદનસીબે સાજણ ઓડેદરા હાથ નહીં આવતા તે બચી ગયો હતો, પરંતુ કિશનનો ખેલ પાડી દીધો.

કિશન ભરવાડની હત્યા બાદ વાતાવરણ તંગ બની જતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે હત્યારાઓ શબ્બી અને ઈમ્તિયાઝ ઉપરાંત અમદાવાદના મૌલાના એયુબ ધરપકડ કરી હતી. જાે કે, તપાસમાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીની વાતોમાં આવીને શબ્બીરે આ પગ્લું ભર્યું હોવાની જાણ થતાં છ્‌જીની ટીમે ઉસ્માનીની પણ ધરપકડ કરી હતી.

કમર ગની ઉસ્માની વારંવાર અમદાવાદ આવતો અને મૌલાના એયુબ સહિત સંખ્યાબંધ લોકોને મળતો હતો અને તેમના મગજમાં કટ્ટરવાદનું ઝેર ભરતો હતો. આ સમગ્ર મામલે પોલીસની તપાસ પૂરી થઈ ગઈ છે અને અમદાવાદના કયા વિસ્તારોના લોકો તેની સાથે સતત સંપર્કમાં હતા તેની પણ એક યાદી તૈયાર કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છ્‌જીની ટીમ દ્વારા કમર ગની ઉસ્માની અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં કયા કયા શહેરમાં નિયમિત આવતો રહેતો હતો અને કોને મળતો તેની વિગતો ચકાસવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ સંખ્યાબંધ ફોલોઅર્સ તેની વાતમાં આવી રહ્યા છે અને ઘણા યુવાનો તેની વાતોથી કટ્ટરવાદી બની રહ્યો હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.