Western Times News

Gujarati News

મોટી રકમ મેળવવા છતાં જાેફ્રા આર્ચર IPL નહીં રમી શકે

બેંગ્લુરું, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૫મી સીઝનની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાેફ્રા આર્ચર પર જાેરદાર બોલી લગાવી અને પોતાની ટીમ સાથે જાેડ્યો હતો.

જાેકે, આશ્ચર્યની વાત એ છે કે તે આઈપીએલ ૨૦૨૨માં તે રમી શકશે નહીં, તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં આર્ચરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જણાવી દઈએ કે જાેફ્રા આર્ચરે મેગા ઓક્શન માટે પહેલા પોતાનું નામ આપ્યું ન હતું, પરંતુ બાદમાં તેણે તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના પર પણ બોલી લગાવવામાં આવી હતી.

આઈપીએલ ઓક્શનના બીજા દિવસે ઈગ્લિશ ફાસ્ટ બોલર જાેફ્રા આર્ચર ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. આર્ચરને તેની બે કરોડની બેઝ પ્રાઈસ સામે મુંબઈ ઈન્ડિયન્સે આઠ કરોડમાં ખરીદી લીધો છે. આર્ચર માટે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ જાેર લગાવ્યું પરંતુ મુંબઈએ પર્સ ખુલ્લું મૂકી દેતાં બીજી ટીમોએ પ્રયાસ પડતો મૂક્યો હતો.

જાેકે ખાસ બાબત એ છે કે આર્ચર આઈપીએલ ૨૦૨૨માં ભાગ લઈ શકશે નહીં, તેમ છતાં મુંબઈએ આ બોલર માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. આર્ચર ગઈ આઈપીએલમાં પણ રમી શક્યો નહોતો. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે ઘણા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ગત વર્ષે આચરે કોણીનું ઓપરશન કરાવવું પડ્યું હતું. તે પછી તે ફિટનેસને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જાેફ્રા આર્ચર આઈપીએલમાં સારો રેકોર્ડ ધરાવે છે તેથી મુંબઈ ઈન્ડિયન્સે તેના પર દાવ લગાવ્યો છે. આર્ચરે અત્યાર સુધીમાં ૩૫ આઈપીએલ મેચમાં ૪૬ વિકેટ ઝડપી છે.

આઈપીએલ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બિડ કરીને રૂ. ૮ કરોડમાં ખરીદ્યો હતો. જાે કે, તે આઈપીએલ ૨૦૨૨ માં રમી શકશે નહીં કારણ કે તે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે કારણ કે તે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવા માંગે છે અને તેની ફિટનેસનું પણ ધ્યાન રાખવા માંગે છે. આઇપીએલની ત્રણ સિઝન માટે મેગા ઓક્શન ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાની સાથે જાેડ્યો છે, જે આગામી બે વર્ષ સુધી ટીમની સાથે રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે અને તેની પાછળનું કારણ એ છે કે ફ્રેન્ચાઈઝી માત્ર એક સિઝન માટે જ નહીં પરંતુ આવનારી કેટલીક સિઝન માટે પણ વિચાર કરીને પગલાં ભરે છે.

જાેફ્રા આર્ચર પર ૮ કરોડનો ખર્ચ કરવો એ એક મોટો ર્નિણય છે અને તે પણ એવા સમયે જ્યારે બધા જાણે છે કે તે આ વર્ષે ઉપલબ્ધ રહેશે નહીં. જાેકે, મુંબઈ ઈન્ડિયન્સની આ માનસિકતા તેમને બીજા બધા કરતા અલગ છે. આ ઉપરાંત એ વાત પણ આશ્ચર્યજનક હતી કે જ્યારે કેટલીક ટીમોના ખેલાડીઓની સંખ્યા ૨૦ની આસપાસ પહોંચી ગઈ હતી ત્યારે તે સમયે મુંબઈમાં માત્ર ૧૨ ખેલાડીઓ હતા જેમાંથી ચાર ખેલાડીઓને પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.