Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી

 કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે
શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ભગવાનનને તલવાર, બંદૂક, ઢાલ આદિ શસ્ત્રો ધરાવામાં આવ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના સાધુ પ્રેમવત્સલદાસજીએ (Shri Swaminarayan Mandir, Kumkum Pram Vatsaldasji) જણાવ્યું છે કે, રાવણનાં દશ મસ્તક છેદી રામે દશેરાના (Dashera) દિવસે વિજય પ્રાપ્ત કર્યો તેથી દશેરા ઉજવાય છે. દશેરાના દિવસે વર્ષોથી ઠેર – ઠેર રાવણનું દહન કરવામાં આવે છે. આપણે રાવણદહન જાઈને ખુશ થઈએ છીએ પણ તે રાવણ આપણામાં તો થોડા કે વધુ અંશે વસી રહયો નથી ને તેની તપાસ કરવાની જરૂર છે. હિંસા, વ્યભિચાર, ચોરી, કોઈનું અણહકકનું પડાવી લેવાની બદદાનત, આદિ દૂષિતભાવો જા પેદા થતા હોય તો તેનો મતલબ એ થયો કે, તે માણસમાં ઉંડે – ઉંડે રાવણ જીવી રહયો છે.

માટે અનીતિ, અત્યાચાર, કટુનીતિ, બળાત્કાર જેવો દોષોને – અવગુણોને હટાવીને નીતિ, નિયમ, વ્રત, સદાચાર, સદ્‌ભાવના અને પ્રેમના બીજનું વાવેતર કરીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જવાનો ભગીરથ સંકલ્પ આપણે આજના દિવસે કરવો જાઈએ. તો જ આપણે ખરા અર્થમાં દશેરા ઉજવી કહેવાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.