Western Times News

Gujarati News

શાળામાં યુનિફોર્મનું જ મહત્વ હોવુ જોઇએ: કંગના

મુંબઈ, કર્ણાટક વિવાદ પર રાજકીય નેતાઓ સહિત બોલીવુડના કલાકારો અને હસ્તીઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી કંગના રનૌતે એકવાર ફરી હિજાબ વિવાદે પોતાનો મત રજૂ કર્યો છે.

કંગનાએ એના સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈરાનમાં બુરખાથી બિકિની વાળો ફોટો શેર કરી લખ્યું હતું કે જાે હિમ્મત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ના પહેરીને બતાવો. કંગનાની પોસ્ટ પર શબાના આઝમીએ પ્રતિક્રિયા આપતાં સવાલ કર્યો હતો કે કંગના જાણે છે કે અફઘાનિસ્તાન અને ઈરાનમાં શુ ફર્ક છે? શબાના આઝમીના સવાલ પર કંગનાએ જવાબ આપતા કહ્યું- હિજાબથી જરુરી છે પુસ્તક અને બાળકોનું શિક્ષણ. શાળાઓમાં જય માતાજીનો દુપટ્ટો અને બુરખો નહીં ચાલે. યુનિફોર્મને સન્માન કરવું જરુરી છે. કંગનાએ એમ પણ કહ્યું કે શાળાઓમાં કોઈપણ ધાર્મિક ચિહ્નો કે વસ્તુઓને પ્રમોટ ના કરવી જાેઈએ.

મીડિયા સાથે વાત કરતાં બોલીવુડની અભિનેત્રીએ કહ્યું- હિન્દુસ્તાન અને અફઘાનિસ્તાનમાં ફર્ક છે. પરંતુ શબાના આઝમી એમ કહેવા માંગે છે કે હિન્દુસ્તાન એક લોકતાંત્રિક દેશ છે. જાેકે ૭૦-૮૦ વર્ષ પહેલા ભારત લોકતાંત્રિક દેશ ન હતો અને એ વાતની કોઈ ગેરંટી નથી ૭૦ વર્ષ પછી ભારત લોકતાંત્રિક દેશ જ રહેશે. એનુ રક્ષણ કરવુ પડે છે.

કંગનાનું કહેવુ છે કે, પુસ્તક હિજાબથી ઉપર છે. શાળાનો યુનિફોર્મ હોય છે અને એનો આદર કરવો જાેઈએ. બાળકોનું ભણતર વધારે મહત્વનું છે. જ્યારે તમે શાળામાં જાઓ છો તો એનો એ જ અર્થ છે કે ત્યાં તમને યુનિફોર્મ આપવામાં આવ્યો છે. આ યુનિફોર્મ કોડ હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.