Western Times News

Gujarati News

ડાંગ દરબાર પહેલાં ભાજપને મોટો ઝટકો

પ્રતિકાત્મક

ડાંગના રાજાએ રાજકીય સંન્યાસ લીધો

વાપી, ડાંગ દરબાર પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. વાસુરણા સ્ટેટના રાજા રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વિધનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીતમાં તેમની મહત્વની ભૂમિકા હતી.

વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને ૬૦ હજારથી વધુની લીડ અપાવવામાં તેમનો મહત્વનો હાથ હતો. ત્યારે તેમના રાજકીય સંન્યાસની જાહેરાતથી ભાજપને આગામી વિધાનસભામાં મોટો ફટકો પડશે.

ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ બીજેપી સાથે છેડો ફાડ્યો છે. જાેકે, તેમણે કોઈ બીજા પક્ષમાં જવાની જાહેરાત નથી, તેઓ રાજકીય સંન્યાસ લેવાના છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

કારણ કે, વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને ૬૦ હજારથી વધુની લીડ અપાવવામાં તેમનો મહત્વનો હાથ હતો. પાર્ટીના આદેશ મુજબ સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ પટેલને ભેગા કરી તેમણે પોતાની તાકાત બતાવી હતી. તેઓ પૂર્વ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, પૂર્વ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને ૨૦ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા.

તેમણે લાંબી રાજકીય સફર કાપી છે. ત્યારે તેમના આકસ્મિક જાહેરાતથી ભાજપને ફટકો પડશે. ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશી છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા. ભાજપ તરફથી પોલીસ પટેલોને આપેલ વચન ન પાળી શકતા રાજવી તરીકે જુઠ્ઠા પડયાનું હોવાનુ દુઃખ તેમને સતાવતુ હતું. ત્યારે રાજકીય સંન્યાસ લેતા સમયે તેમણે કહ્યું કે, રાજકારણીઓને શરમ નથી નડતી, પણ અમે રાજવીઓને શરમ નડે છે.

ઉલ્લેખનીય છે કે, રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ડાંગમા યોજનાર ડાંગ દરબારને લઈને પણ નારાજ હતા. કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.