Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૭૬ નવા કેસ, સાજા થવાનો દર હાલમાં ૯૮.૭૨%

નવીદિલ્હી, સરકારે કહ્યું કે, સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને ૩૨,૮૧૧ થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના ૦.૦૮% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ ૯૮. ૭૨% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૮૮૪ દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે ૪,૨૪,૫૦,૦૫૫ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૭૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭,૫૨,૮૧૮ કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં ૭૮.૦૫ કરોડ (૭૮,૦૫,૦૬,૯૭૪) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જાેવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૦.૪૪% છે અને દૈનિક સકારાત્મકતા દર ૦.૩૮% હોવાનું નોંધાયું છે.

રસીકરણના મોરચે, આજે સવારે ૭ વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું કોવિડ-૧૯ રસીકરણ કવરેજ ૧૮૦.૬૦ કરોડ (૧,૮૦,૬૦,૯૩,૧૦૭) ને વટાવી ગયું છે. આ ૨,૧૧,૯૩,૧૮૩ સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. આજે સવારે ૭ વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છેઃHS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.