Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના લાલ ચોક અને પુલવામામાં આતંકી હુમલો: એક CRPF જવાન શહીદ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકી હુમલો થયો હતો. લાલ ચોકના મૈસુમામાં થયેલા આ હુમલામાં CRPFના બે જવાન ઘાયલ થયા છે. જેમાંથી એકનું મોત થયું છે. આ સિવાય એવા સમાચાર છે કે આતંકવાદીઓએ પુલવામામાં સ્થાનિક લોકોને પણ નિશાન બનાવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે રવિવારે જ સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસેના ગામમાંથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આતંકવાદીઓએ બે બિન-સ્થાનિકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓ દ્વારા બિન-સ્થાનિકો પર આ બીજો હુમલો છે. “આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં પટલેશ્વર કુમાર અને જાકો ચૌધરીને ગોળીબાર કર્યો હતો. બંને બિહારના રહેવાસી છે.

તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પહેલા રવિવારે સાંજે પુલવામાના નૌપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોને ગોળી મારી દીધી હતી. બંને પંજાબના રહેવાસી હતા.

રવિવારે પણ ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી હતી. એક સંયુક્ત ઓપરેશનમાં પુંછ જિલ્લામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુમાં સંરક્ષણ પ્રવક્તા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, ‘ગુપ્ત માહિતીના આધારે, તહસીલ હવેલીના નૂરકોટ ગામમાં વ્હાઇટ નાઈટ કોર્પ્સની પૂંછ બ્રિગેડ અને એઓજી પૂંચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.’

નિવેદન અનુસાર, જવાનોને બે એકે-47 રાઈફલ, બે એકે-47 મેગેઝિન, એક 223 બોરની એકે આકારની બંદૂક અને મેગેઝિન, એક ચાઈનીઝ પિસ્તોલ અને મેગેઝિન, એકે-47ના 63 રાઉન્ડ, 223 બોરની બંદૂકના 20 રાઉન્ડ અને ચાઈનીઝ બંદૂક મળી છે. પિસ્તોલના ચાર રાઉન્ડ મળી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.