Western Times News

Gujarati News

ગુજરાત સરકારે શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા વધારી

અમદાવાદ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓને લઇને મહત્વની જાહેરાત કરી છે. આંબેડકર જયંતિના દિવસે કરેલ જાહેરાતથી અનામત વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થશે.  મંત્રી પ્રદીપે વિદ્યાર્થીઓને લઇને શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદામાં વધારો કર્યો છે.

અનામત શ્રેણીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા 2.5 લાખના સ્થાને 6 લાખ કરવામાં આવી છે. પ્રદીપ પરમાર સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે, તેમના આ નિર્ણયથી આશરે 1 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ સિવાય સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે.મંત્રી પ્રદીપ પરમારના આ નિર્ણયથી લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે.

પરમારે એક નિવેદનમાં કહ્યું કે, સરકારના નિર્ણયથી 50 લાખનો વધારાનો બોજ સરકારી તિજોરી પર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.