Western Times News

Gujarati News

જંબુસર શહેર અને તાલુકાની જનતાને યોગમય બનાવવા અંગે બેઠક યોજાઈ.

(વિરલ રાણા) ભરૂચ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ જીલ્લા કો.ઓર્ડિનેટર ભાવિની ઠાકર દ્વારા જંબુસર નગર અને તાલુકાની જનતામાં યોગ અંગે જાગૃતિ આવે અને આગામી ૩૦/૪/૨૨ ના રોજ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંગે બેઠક યોજાઈ હતી.જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

૨૧ જૂન એટલે ઈન્ટરનેશનલ યોગ દિવસ જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને મહત્ત્વ આપી સમાજના દરેક વ્યક્તિ યોગ કરતા થાય  તથા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને યોગમય બનાવવા પ્રયત્નો હાથ ધરાયા છે.ત્યારે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા ગુજરાતના દરેક જીલ્લા,તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર સહિત છેવાડાનો માનવી યોગમય બની દરેક વ્યક્તિ યોગ કરી યોગ થકી વ્યક્તિને શારીરિક,માનસિક,આધ્યાત્મિક  ફાયદા થાય છે.

તે માટે ગુજરાતને યોગ બનાવવાના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જીલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર દ્વારા સરસ્વતી વિદ્યાલય ખાતે જંબુસર શહેરના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં યોગ લીડર અર્પણા બિલ્લોરે,શીતલ પ્રજાપતિ,કોમલ ઓઝા સહિત કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જંબુસર શહેર અને તાલુકાને કઈ રીતે યોગમય બનાવી જનજાગૃતિ અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જંબુસર પંથકને સૌ ટકા યોગમય બનાવીશું તેવો સંકલ્પ કરાયો હતો.

તથા જંબુસર શહેર અને તાલુકામાં કોચ અને ટ્રેનરની નિમણુકો કરવાની હોય તે અંગે વાતચીત કરવામાં આવી હતી.આ સહિત આગામી ૩૦/૪/૨૨ના રોજ યોગ સંવાદ સરસ્વતી વિદ્યાલય ખાતે સાંજે છ કલાકે યોજાશે.જેમાં યોગ અંગે જાણકારી આપી યોગના લાભ જણાવવામાં આવશે.મનુષ્ય જીવનમાં યોગનું મહત્ત્વ અંગે સમજાવવામાં આવશે તો મહત્તમ વ્યક્તિઓએ લાભ લેવા જીલ્લા કો.ઓર્ડિનેટર ભાવિની ઠાકર દ્વારા જણાવાયું છે.સદર બેઠકમાં નિલેશભાઈ ભાવસાર સહિત અગ્રણી ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.