Western Times News

Gujarati News

ભારતીયોની આશાઓને ચંદ્ર પર લઈ જવા માટે ચંદ્રયાન-૩ ફરીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે

નવીદિલ્હી, ભારતીયોની આશાઓને ચંદ્ર પર લઈ જવા માટે ચંદ્રયાન-૩ ફરીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. ISRO એ પ્રથમ વખત આ મિશનની તસવીરો જાહેર કરી છે. જાે બધુ બરાબર રહ્યું તો આ મિશન આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે.

ISRO દ્વારા બહાર પાડવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી ‘સ્પેસ ઓન વ્હીલ્સ’માં આ તસવીરો બહાર પાડવામાં આવી છે.ઈસરોએ આ ડોક્યુમેન્ટ્રી પોતાની વેબસાઈટ પર અપલોડ કરી છે. તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દ્વારા લોન્ચ કરાયેલા ૭૫ ઉપગ્રહો પણ દર્શાવે છે.

ISRO એ જાહેર કરેલી ડોક્યુમેન્ટ્રીમાં ચંદ્રયાન-૩નું લેન્ડર બતાવવામાં આવ્યું છે. ભારતીય સ્પેસ મિશનનો ચંદ્ર પર ઉતરવાનો આ બીજાે પ્રયાસ છે. આ સિવાય આદિત્ય એલ૧ મિશન અને ગગનયાન વિશે પણ ૧૭ મિનિટની ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે.

તાજેતરમાં, ભૂતપૂર્વ ઇસરો વડા ડૉ. સિવને કહ્યું હતું કે ટૂંક સમયમાં ઇસરો ચંદ્રયાન-૩ના પ્રક્ષેપણની પુષ્ટિ કરવાની સ્થિતિમાં હશે. મને ખાતરી છે કે અમને આ મિશનમાં ચોક્કસ સફળતા મળશે.

આ મહત્વાકાંક્ષી મિશન માટે ચંદ્રયાન-૨ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે, તે આપણા માટે ખૂબ જ આર્થિક રહેશે. ઈસરોના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે કોરોના વાયરસની મહામારીની અસર અમારા તમામ પ્રોજેક્ટ પર પડી છે.

અગાઉના ચંદ્રયાન-૨ મિશનના લગભગ બે વર્ષ બાદ ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ મિશન સંપૂર્ણ સફળ ન હતું. વાહનનું લેન્ડર અને રોવર તેમના ગંતવ્ય સ્થાનથી થોડા અંતરે અથડાયા હતા. જાે કે, આ વાહનનું ઓર્બિટર હજુ પણ ચંદ્રની સપાટી ઉપર હાજર છે. ઇસરો દ્વારા ચંદ્રયાન-૩ મિશનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.