Western Times News

Gujarati News

અમિત શાહની મુલાકાત ટાણે જ ભાજપના કાર્યકરની હત્યા

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે. કોલકાતાના ચિતપુર વિસ્તારમાં અર્જુન ચૌરસિયા નામના કાર્યકરની લાશ ફાંસીના ફંદા પર લટકતી મળી આવી હતી. ભાજપે તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ કોલકાતાના પ્રવાસે છે.

કાર્યકરની મોત બાદ અમિત શાહના સ્વાગતના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે રાજકીય અદાવતમાં હત્યાની નવાઈ નથી રહી.

ભૂતકાળમાં પણ ભાજપે પોતાના કાર્યકરોની આ જ રીતે ગળે ફાંસો આપીને હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપો લગાવેલા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હિંસાનો જે સિલસિલો ચાલી રહ્યો છે તે અટકવાનુ નામ નથી લઈ રહ્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.