પાટણ રેલ્વે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજ સ્મારકનું ઉદ્ઘાટન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 06 મે 2022ના રોજ પાટણ રેલવે સ્ટેશન પરિસરમાં 100 ફુટ રાષ્ટ્રીય ધ્વજ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મંડળ રેલ પ્રવક્તા,અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું કે, માનનીય સાંસદ શ્રી ભરતસિંહજી એસ. ડાભી દ્વારા પાટણ રેલ્વે સ્ટેશન પરિસરમાં 100 ફૂટ રાષ્ટ્રીય ધ્વજ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય, પાટણ શ્રી કિરીટકુમાર સી. પટેલ, માનનીય અધ્યક્ષા, નગરપાલિકા-પાટણ શ્રીમતી સ્મિતાબેન એ. પટેલ તથા મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો અને રેલ્વે મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્મારક ધ્વજ લગાવવાથી રેલવે સ્ટેશન અને પાટણ શહેરનું ગૌરવ વધશે. અને તે પ્રવાસીઓ અને નાગરિકોમાં દેશભક્તિની અતૂટ શ્રદ્ધા, લાગણી અને આસ્થાનું પ્રતિક બનશે. આ સ્મારક ધ્વજ ચોવીસ કલાક ફરકાવવામાં આવશે, જે આસપાસના વિસ્તાર અને રેલવે સંકુલની સુંદરતામાં વધારો કરશે.