Western Times News

Gujarati News

અનુસૂચિત જાતિ માટે કરેલા ઐતિહાસિક હિતકારી નિર્ણયો બદલ  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલનો ઋણ સ્વીકાર કરાયો  

મોડાસા,આજરોજ સ્વર્ણિમ સંકુલ ખાતે , પોતાના 200 દિવસના કાર્યકાળ દરમ્યાન સમગ્ર અનુસૂચિત જાતિ માટે કરેલા ઐતિહાસિક હિતકારી નિર્ણયો બદલ  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ  સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી  પ્રદીપ પરમાર મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ મોરચા દ્વારા યોજાયો હતો.

જેમાં અનુ.જાતિ મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ  ડો ભોળાસિંહજી તથા  રાષ્ટ્રીય મહામંત્રી  અને મહંત શ્રી શંભુનાથ ટૂંડિયા સાહેબ ,મોરચા  ના પ્રદેશ પ્રભારી શ્રી  સુરેશજી કેરોજી , પ્રદેશ મહામંત્રી શ્રી  વિક્રમભાઈ તથા ગૌતમભાઈ ,  જિલ્લા પ્રભારી શ્રી ઓ જિલ્લા પ્રમુખ  ધારાસભ્ય,પ્રદેશ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.