Western Times News

Gujarati News

ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પહોંચ્યા -ઉઝબેકિસ્તાનમાં યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ  અંતર્ગત ઓપન અન્ડિજાન ઉદઘાટન સત્રમાં સહભાગી થશે
અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ અંતર્ગત ‘ઓપન અન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે.
શ્રી વિજયભાઇ રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ અન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે. તેઓ આ પ્રવાસ દરમિયાન અન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીશ્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાવાના છે.

શનિવારે અન્ડિજાનમાં આયોજીત ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ઓપન અન્ડિજાનના ઉદઘાટન સમારોહમાં જોડાશે. અન્ડિજાન શહેરમાં એક સ્ટ્રીટનું લોહપુરુષ સરદાર પટેલ નામાભિધાન કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન તેમજ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે. મુખ્યમંત્રીશ્રી ઇન્ડિયા ઉઝબેકિસ્તાનના ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માનું ઉદઘાટન કરવાનાં છે. તેઓ ફિક્કી વિમેન્સ ઓર્ગેનીઝેશન આયોજીત વુમન સબ કમિટિની બેઠકમાં સંબોધન કરશે અને રૂપિયા ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી શારદા યુનિવર્સિટીનું ઉદઘાટન કરશે.
મુખ્યમંત્રીશ્રી તેમના પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે અને ઉદ્યોગ, વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લેશે
શ્રી વિજયભાઇ રૂપાણી ૨૧મી ઓક્ટોબરે પ્રવાસના ત્રીજા દિવસે બુખારાના ગવર્નરશ્રી સાથે બેઠક કરશે અને ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટીંગમાં સહભાગી થશે.તેઓ બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ, ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ નિરિક્ષણ મુલાકાત કરશે.
મુખ્યમંત્રીશ્રી ૨૨ ઓક્ટોબરે તાશ્કંદની મુલાકાતે જશે અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મ્યુઝિયમની મુલાકાત કરશે. ત્યારબાદ શાસ્ત્રી સ્કુલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે. શ્રી વિજયભાઇ રૂપાણી તાશ્કંદના મેયર સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજશે અને બી-ટુ-બી બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં આયોજીત મહાત્મા ગાંધી પ્રદર્શનનું ઉદઘાટન મુખ્યમંત્રીશ્રી કરશે અને તાશ્કંદની છસ્ૈં્‌રૂ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાતે જશે તેઓ તાશ્કંદ-ઉઝબેકિસ્તાનમાં વસવાટ કરી રહેલા ગુજરાતી સમુદાયો સાથે ભોજન સહ બેઠકમાં ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરવાના છે.
મુખ્યમંત્રીશ્રી તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના અંતિમ દિવસે તા. ૨૩ ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત સવકત મીરઝી યોવેવ સાથે બેઠક યોજાશે અને બપોર બાદ ગુજરાત પરત આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઉઝબેકિસ્તાનના કૃષિ ફાર્માસ્યુટિકલ, ગોલ્ડ, ઓઇલ એન્ડ ગેસ, જેવા ક્ષેત્રોમાં ગુજરાતની સહભાગીતાની ઉજ્જવળ સંભાવનાઓ અને સબંધોનો સેતુ સુદ્રઢ કરવામાં મુખ્યમંત્રીશ્રીનો આ ઉઝબેકિસ્તાન પ્રવાસ ઉપયુક્ત બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.