Western Times News

Gujarati News

આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ: સરકારી કામમાં અવરોધનો આરોપ

નવીદિલ્હી, દિલ્હીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.એમસીડીની કાર્યવાહી દરમિયાન હુલ્લડ અને સરકારી કામમાં અવરોધની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો, પછી તેની ધરપકડ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મદનપુર વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ એમસીડીની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે ટીમ સ્થળ પર પહોંચી ત્યારે પથ્થરમારો થતાં ભારે હોબાળો મચી ગયો હતો.

ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પ્રસંગે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પણ હાજર હતા. તેમના પર હુલ્લડ અને સરકારી કામમાં અવરોધ કરવાનો આરોપ હતો. તેમના સિવાય ૬ વધુ લોકો સામે આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.

જ્યારે આપ ધારાસભ્યની પોલીસે અટકાયત કરી ત્યારે તેમના ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક ટિ્‌વટ કરવામાં આવી હતી. ટ્‌વીટ કરીને તેમણે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

તેમણે લખ્યું કે ભાજપની “બુલડોઝર સિસ્ટમ” નો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ ગેરબંધારણીય છે. અમે ભાજપની જનવિરોધી નીતિઓના વિરોધમાં છીએ, હું હંમેશા લોકોના હક્ક માટે અવાજ ઉઠાવીશ, ભલે આ માટે મારે કેટલી વાર જેલ જવું પડે.

હવે એક તરફ આપના ધારાસભ્યો એવું કહીને અતિક્રમણ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે કે સરકાર ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર એવી દલીલ કરે છે કે તેઓ સરકારી કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે, તેઓ લોકોને ભડકાવી રહ્યા છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ૨૦ એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તે કાર્યવાહીના વિરોધમાં સુપ્રીમ કોર્ટે જ્યાં સ્ટે મુક્યો હતો ત્યાં જતી રહી હતી. હવે તે વિસ્તારમાં બુલડોઝર કામ કરતું નથી, પરંતુ પછી મદનપુર ખાદર અને ધીરસેન રોડ પર અતિક્રમણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તે જ કાર્યવાહીમાં આપ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.