Western Times News

Gujarati News

વેપારી સાથે ખેલાયેલ ખેલના મોટા માથાને પકડવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા

અમદાવાદ, થલતેજના એક વેપારીએ પેથાપુરમાં એક મકાનમાં ખોટી રીતે ગોંધી રાખવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવ્યાના એક દિવસ પછી, ગાંધીનગર પોલીસની સાત ટીમોએ ગુજરાત હાઈકોર્ટના સીનિયલ વકિલ સહિત ૬ વ્યક્તિઓની ધરપકડ કરવા માટે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાેકે પોલીસને આમાં સફળતા મળી નહોતી.

ગાંધીનગર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ અમદાવાદના જંકાર સોલંકી અને રવિ ચૌધરી, વડોદરાના ભાઈઓ કુરેન અને ઈક્ષિત અમીન, ગાંધીનગરના ભૌમિક ઠક્કર અને હાઈકોર્ટના વકીલ આઈ એચ સૈયદ તરીકે થઈ છે.

આ તમામ આરોપીઓ તેમના ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે જણાવ્યું હતું. કે, ”અમે ત્રણ શહેરોમાં આઠ અલગ-અલગ જગ્યાઓ સર્ચ કરી છે, જેમાં એસજી રોડ પર ન્યૂયોર્ક ટાવરમાં સૈયદની ઓફિસનો સમાવેશ થાય છે.

પરંતુ આરોપીઓમાંથી કોઈ ત્યાં હાજર નહોતું” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓને શંકા છે કે આરોપીઓ દિલ્હી અથવા મુંબઈ ભાગી ગયા છે, ત્યારબાદ ગાંધીનગર પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ત્રણ જુદી જુદી ટીમોને તેમને શોધવા માટે મોકલવામાં આવી હતી.

ગાંધીનગર એસપી તરુણ દુગ્ગલ આ કેસ પર નજર રાખી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ”આરોપીઓને સારું રાજકીય સમર્થન છે. તેમજ આરોપીઓમાંથી એક હાઈકોર્ટના વકીલ છે તેથી તેઓ કાયદો સારી રીતે જાણે છે. અમે માનવીય અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને તેમને ટ્રૅક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મહેસાણાના કુકરવાડામાં સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ચલાવતા ૪૬ વર્ષીય વિરલ શાહે તેની રવિવારે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમને હિંસાનો ભોગ બનવું પડ્યું હતું કારણ કે તેમણે આરોપી વ્યક્તિઓની માંગણીને સ્વીકારી નથી. આરોપીઓએ તેમને ગેરકાયદેસર દસ્તાવેજ પર સહી કરવાની માંગણી કરી હતી. તેમજ ૧૦૦ કરોડની છેતરપિંડી આચરી હતી.

શાહે હ્લૈંઇમાં જણાવ્યું હતું.કે, “૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ, કુરેન અને ઇક્ષિતે CID (ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેં સોલંકી સહિત અન્ય ૨૪ લોકો સાથે મળીને રૂ. ૧૦૦ કરોડની ઉચાપત કરી હતી જે અન્ય ડમી કંપનીઓને મોકલવામાં આવી હતી.

શાહે જણાવ્યું હતું કે તેમણે જ્યારે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સુનાવણી પછી તેમની સામેની એફઆરઆઈ ૨ મેના રોજ રદ કરવામાં આવી હતી. શાહે દાવો કર્યો હતો કે “તે પછી પણ આરોપીઓએ મને નાણાકીય છેતરપિંડી અને અમીન ભાઈઓ અને જંકારને થયેલા નુકસાન માટે જવાબદાર ઠેરવતા કરાર પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું હતું.”

શાહના જણાવ્યા મુજબ તેમણે શાહને પેથાપુરના ઘરે બોલાવીને ગેરકાયદેસર કરાર પર સહી કરવા દબાણ કર્યું હતું. જ્યારે તેમણે દસ્તાવેજાે પર સહી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેઓએ તેના પરિવારના સભ્યોને મારી નાખવાની અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

શાહે સ્થળ છોડી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જાેકે શાહ કોઈક રીતે, ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને પોતાની કાર તરફ દોડી ગયા હતા. જેમાં તેમનો ડ્રાઈવર પહેલેથી જ હાજર હતો અને પછી તેઓ કારમાં ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.