Western Times News

Gujarati News

ચારધામ દરમ્યાન માર્યા ગયેલા ૩૪ લોકો પૈકી મોટાભાગનાને ભૂતકાળમાં કોરોના થયો હતો

(એજન્સી) દહેરાદૂન, ચારધામ તીર્થયાત્રા માટે અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચુકયા છે. પરંતુ તીર્થયાત્રા શરૂ થયાના બે સપ્તાહની અંદર જ હૃદયરોગ, બ્લડપ્રેશર તેમજ માઉન્ટેન સિકનેસને કારણે ઓછામાં ઓછા ૩૪ શ્રધ્ધાળુના મૃત્યુ નોધાયા છે.

તે પૈકી મોટાભાગના એ લોકો છે કે જેઓ ભૂતકાળમાં કોરોના સંક્રમણનો ભોગ બની ચૂકયા હતા. ઉંચાઈવાળા વિસ્તારોમાં મૃત્યુ થઈ રહયા હોવાના સંજાેગોમાં વહીવટીતંત્રે તકેદારી વધારી છે.

વરીષ્ઠ તબીબ ડો.પ્રવીણ પવારે આ સંબંધમાં જણાવ્યું હતું કે જેમના ફેફસાં કોરોના સંક્રમીત થયાં હતાં. તેમને ઉંચાઈવાળા સ્થાને મુશ્કેલી પડે છે. ગંભીર સંક્રમણના સંજાેગોમાં ફેફસાં કડક થઈ જતા હોય છે. તેમની ફૂલવાની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.