દેશની કેટલીક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની ટ્રાન્સફર થશે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કેટલીક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની ટ્રાન્સફરની ભલામણ કરી છે. જેમાં તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવા અને દિલ્હી હાઈકોર્ટના વિપિન સાંઘીને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવા ભલામણ કરાઈ છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી ડીએન પટેલ નિવૃત્ત થયા તે પછી આ પદ ખાલી પડ્યું હતું. કોલેજિયમે એએ સઈદને હિમાચલ પ્રદેશના મખ્ય ન્યાયાધીશ, એસએસ શિંદેને રાજસ્થાનના અને રશમિન એમ છાયાને ગુવાહાટી, ઉજ્જવલ ભુયાનને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં બે જજાેની નિમણૂંક કરવામાં આવી હતી.