Western Times News

Gujarati News

સિદ્ધુએ જેલની દાળ અને રોટલી ખાવાની ના પાડી, હોસ્પિટલમાં લઈ જવા પડ્યા

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા નવજાેત સિદ્‌ઘુ પટિયાલાની જેલમાં બંધ છે. તેઓ ૩૩ વર્ષ જુવા રોડરેઝ કેસમાં સુપ્રીમ કોર્ટે સંભળાવેલી સજા કાપી રહ્યા છે, આ વચ્ચે એ ખબર આવી રહી છે. સિદ્ધુએ જેલનું ખાવાનું ખાવાની ના પાડી દીધી છે,

સિદ્ધુને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. મેડીકલ ટીમ સિદ્ધુ માટે ડાયેટ પ્લાન તૈયાર કરશે. સિદ્ધુએ દાવો કર્યો છે કે તેમને ઘઉંથી એલર્જી છે, તેથી તેમણે જેલનું ભોજન ખાવાની ના પાડી દીધી છે. તેઓ જેલની દાળ રોટલી નથી ખાતા. તેઓ માત્ર સલાડ ખાઈને ગુજારો કરી રહ્યા છે.

સિદ્ધુને ઘઉંથી એલર્જી છે. તેમને લીવરની સમસ્યા છે. તેને જાેતા સિદ્ધુએ જેલ પ્રશાસન પાસે વિશેષ આહારની માંગણી કરી છે. સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિન્દર દલ્લાએ કહ્યું કે સિદ્ધુને ઘઉંથી એલર્જી છે. તે ઘઉંની રોટલી ખાઈ શકતા નથી. તેઓ ઘણા સમયથી રોટલી ખાતા નથી, તેથી તેમણે વિશેષ આહાર માટે કહ્યું છે. આ અંગે તેમણે મેડિકલ તપાસ દરમ્યાન જણાવ્યું હતું.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.