Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૪ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૦ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૮૦૬ દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં આજે કોરોનાના કુલ ૧,૯૭,૮૩૯ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૮૨ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૧૮૨ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૨,૧૩,૮૦૬ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬, વડોદરા કોર્પોરેશનમાં ૪, ભાનગર કોર્પોરેશનમાં ૨, અમદાવાદ અને કચ્છમાં ૧-૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૬૦૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૪૨૫૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૫૯૮ ને રસીનો પ્રથમ અને ૧૪૯૩૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૭૬૨૦૯ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.

૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૧૦૫ ને રસીનો પ્રથમ અને ૩૫૧૩૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૯૭,૮૩૯ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૪,૬૮,૧૭૫ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.