Western Times News

Gujarati News

“વરિષ્ઠ નાગરિકો માટે મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમ” 1 જૂન, 2022 ના રોજ AMAમાં યોજાશે

AMA, સરકાર દ્રારા આત્મનિર્ભર ભારત પહેલમાં તેનું યોગદાન ઉમેરવામાં માને છે અને આ માટે, આપણા વરિષ્ઠ નાગરિકોના ડિજિટલ વિકાસ માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓને આ ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન, તેના ફાયદા અને ઉપયોગ વિશે વ્યવહારુ સમજ આપીને પ્રોત્સાહિત કરી શકાય.

શ્રી જે.બી. પટેલ – નિવૃત્ત બેંકર (પંજાબ નેશનલ બેંક), શ્રી રમેશ સી. મુલવાણી – નિવૃત્ત બેંકર (વિજયા બેંક), શ્રી જયેશ આર. પરીખ – રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ દ્રારા આપણા વરિષ્ઠ નાગરિકોને ટેક્નો-સેવી બનાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો અને નોંધણી માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org અથવા અમને 7203030990 પર કૉલ કરો અથવા AMA કેમ્પસની મુલાકાત લો. નોંધણી ફી રૂ. 100/- પ્રતિ સહભાગી (જીએસટી અને નાસ્તા સહિત) રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.