Western Times News

Gujarati News

સોસાયટીના સેક્રેટરીએ ચાર વર્ષના મેન્ટેનન્સના પૈસા માંગ્યા તો માર માર્યો

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, નારણપુરાની શિવસંકલ્પ સોસાયટીના રહીશ પાસે છેલ્લા ચાર વર્ષના મેન્ટેનન્સના પૈસા માગતા સેક્રેટરીને તેના ઘરમાં ઘુસીને ગડદાપાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

A resident of Shiv Sankalp Society in Naranpura has come across an incident where a secretary seeking maintenance money for the last four years broke into his house and beat him.

નારણપુરાની શિવસંકલ્પ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સોનીએ ફરિયાદ કરી છે, દિનેશભાઈ માણેકચોક ખાતે આશાપુરી જવેલર્સ નામે સોના-ચાંદીની દુકાન ધરાવે છે તેમજ તેમની બીજી ઓફિસ સીજીરોડ સુપર મોલ ખાતે આવેલી છે તથા દિનેશભાઈ જયાં રહે છે ત્યાં તેઓ છેલ્લા ચાર વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

બે દિવસ પહેલાં સોસાયટીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ ગજજર તેમની સાથે સોસાયટીમાં રહેતા મિતેશ પટેલને લઈ દિનેશભાઈના ઘરે આવ્યા હતા. ગોવિંદભાઈએ દિનેશભાઈ પાસે સોસાયટીના કામ માટે લેટરપેડ માગ્યું હતું, જેથી દિનેશભાઈ લેટરપેડ આપવા જતા હતા

ત્યારે ગોવિંદભાઈ સાથે આવેલા મિતેશને દિનેશભાઈએ કહ્યું કે તમે છેલ્લાં ચાર વર્ષથી સોસાયટીના મેન્ટેનન્સના પૈસા આપ્યા નથી, જેથી મિતેશે કહ્યું કે તમે છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીની જનરલ મિટિંગ બોલાવતા નથી કે સોસાયટીનો હિસાબ આપતા નથી તો હું મેન્ટેનન્સના પૈસા શા માટે આપું?

મિતેશ આમ કહીને ઉશ્કેરાઈ ગયો હતો, જેથી દિનેશભાઈએ શાંતિથી વાત કરવાનું કહ્યું હતું. મિતેશે આ સમયે દિનેશભાઈને ગાળો બોલી તેમના જ ઘરમાં ગડદાપાટુનો માર માર્યો હતો આ દરમિયાન બૂમાબૂમ થતાં અને આસપાસના રહીશો આવી જતાં મિતેશે જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ દિનેશભાઈએ આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં મિતેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શહેરમાં અનેક સોસાયટીઓમાં તેમજ ફલેટમાં રહીશો અને ચેરમેન સેક્રેટરી વચ્ચે મારામારીના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.