Western Times News

Gujarati News

દિલ્હી સરકારે વધી રહેલા મંકીપૉક્સના કેસ વચ્ચે તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યા

નવીદિલ્હી,દુનિયાભરમાં વધી રહેલા મંકીપૉક્સ વાયરના કેસો વચ્ચે દિલ્લી સરકારે શહેરની તમામ હોસ્પિટલોને રોગના કોઈ પણ પ્રારંભિક લક્ષણો માટે સતર્ક રહેવા અને તાત્કાલિક રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા છે. ભારતમાં હજુ સુધી મંકીપૉક્સનો કોઈ કેસ નોંધાયો નથી. તેમછતાં રાષ્ટ્રીય રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ધસારાના કારણે આ રોગનુ જાેખમ વધુ છે તેમ એચટીએ દિલ્લીના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને જણાવ્યુ હતુ.

અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય રાજધાની દેશના અન્ય ભાગોમાં એક મહત્વપૂર્ણ પરિવહન બિંદુ હોવાના કારણે અહીં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. દેશમાં મંકીપૉક્સના પ્રકોપને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કર્યાના એક દિવસ પછી આ આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં હજુ સુધી મંકીપૉક્સના કોઈ કેસ જાેવા મળ્યા નથી તેમ છતાં આરોગ્ય મંત્રાલયે રોગના સંચાલન અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવેલી ‘મંકીપૉક્સ ડિસીઝના વ્યવસ્થાપન પરની માર્ગદર્શિકા’માં આરોગ્ય મંત્રાલયે રોગચાળાને નિયંત્રણમાં લેવા માટેના મુખ્ય જાહેર આરોગ્ય પગલાં તરીકે દેખરેખ અને નવા કેસોની ઝડપી ઓળખ પર ભાર મૂક્યો હતો. જે માનવથી માનવમાંના જાેખમને ઘટાડવાની જરૂરિયાતને ફરજિયાત બનાવે છે.

દિશાનિર્દેશોમાં કેસો અને સંક્રમણોના સ્ત્રોતોની જલ્દી ઓળખ કરવા માટે એક નિરીક્ષણ રણનીતિનો પ્રસ્તાવ આપ્યો જેથી આગળ સંક્રમણને રોકવા માટે કેસનો અલગ કરી શકાય, સારી નૈદાનિક દેખરેખ આપી શકાય, સંપર્કોની ઓળખ અને વ્યવસ્થાપન કરી શકાય અને ફ્રંટલાઈન આરોગ્ય કાર્યકર્તાઓની રક્ષા કરી શકાય અને પ્રભાવી નિયંત્રણ કરી શકાય તેમજ સંચરણના ઓળખાયેલા માર્ગોના આધારે નિવારક ઉપાય કરી શકાય. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ક્લિનિકલ નમૂનાઓ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક દ્વારા દ્ગૈંફ પુણે એપેક્સ લેબોરેટરીમાં મોકલવાના રહેશે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.