Western Times News

Gujarati News

મોરવા હડફમાં આવતા તળાવોનો જળ વધામણાનો કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં શામણા ઉદવહન સિંચાઇ યોજનાથી- નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની કામગીરી શરૂ -રાજ્યમંત્રી નિમીષાબેન સુથાર

(પ્રતિનિધિ) ગોધરા, પાણીની અછત અને નીચા જતાં જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે મહીસાગર જિલ્લામાં ૭૫.૬૭ કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી ૩૫ તળાવો ભરવા માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં તબક્કા વાર તળાવો ભરવાની કામગીરી શરૂ થઇ છે

ત્યારે આજ રોજ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ વિધાન સભામાં આવતા ૧૨ તળાવો જેમાં નસીકપુર, બોઈડીયા, રાફઈ, સાંઢપાળીયા, માંચોડ, ગોધર(પ) અને કાળીબેલ ખાતે જળ વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઇ બારીયા, રાવજીભાઇ પટેલ સહિત સરપંચો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા. પંરપરાગત નૃત્ય સાથે રાજ્ય મંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

કાળીબેલ ખાતે સભાને સંબોધતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પાણીની કિમંત ખેડૂતો અને મારી બહેનોજ સમજી શકે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનને કારણે જિલ્લાના ઘણાં તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

રાજ્ય સરકારના જળ સંચય અભિયાન દ્વારા પાણીને પ્રસાદ સમજીને વરસાદ રૂપે વરસેલાં પાણીનું ટીંપે- ટીંપુ જમીનમાં ઉતરે અને ધરતી માતાની તપ્ત ધરાંની તૃષા છીપાય તે માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરી રહી છે ત્યારે તળાવ ભરવાના આવાં મહત્વપૂર્ણ કામોથી કુવા, બોર રીચાર્જ ચોક્કસ થશે. મહીસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતાં જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની કામગીરી શરૂ કરી નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે.

મહીસાગર જિલ્લામાં ૧૮૫ કરોડના ખર્ચે તળાવો ભરવાની જાેગવાઇ કરવામાં આવી હતી. જેમાં ૭૫.૬૭ કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી ૩૫ તળાવો ભરવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત શિયાલ પંપીગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના ૧૨ અને કડાણા તાલુકાના ૬ મળી કુલ ૧૮ તળાવો તેમજ શામણા પંપીંગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના ૧૩ અને લુણાવાડાના તાલુકાના ૦૪ તળાવો મળી કુલ ૧૭ તળાવો ભરવામાં આવનાર છે. આ યોજનામાં ક્રમશઃ કામગીરી પુર્ણ થઇ તેવા તળાવો ભરવાના શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે મહીસાગર માતાના આ નિરના વધામણા કરવાનું ગ્રામજનોએ આયોજનોએ આયોજન કર્યું હતું.

આ યોજના અંતર્ગત તળાવ ભરવાની કામગીરીથી અંદાજીત ૧૨૨૫ હેક્ટર જમીન લાભાન્વિત થશે અને આ વિસ્તારના જળ સ્તર ઉચા આવશે તેમજ લોકોને પાણીની સમસ્યાનો મહદ અંશે હલ આવશે. ઉપસ્થિત ગ્રામજનોએ વર્ષો બાદ પાણીની સમસ્યાનું નિરાકરણ થતાં ખુશી વ્યકત કરી સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમંત્રી દેશી વાજિંત્રોના સૂર સાથે પુજન કરી જળના વધામણા કર્યા હતા.

આ પ્રસંગે સંતરામપુર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભરતભાઇ, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યઓ, કાળીબેલ સરપંચ કૈલાસબેન ખાંટ, અગ્રણી મહેન્દ્રભાઇ પટેલ, સંજયભાઇ પટેલ, ભરતભાઇ, રાજુભાઇ, શૈલેષભાઇ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.