Western Times News

Gujarati News

અમદાવાદના રામોલમાં ભાઈએ બહેનની હત્યા કરી

અમદાવાદ, કહેવાય છે કે જર, જમીન અને છોરું એ ત્રણેય કજિયાના છોરું. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના રામોલ વિસ્તારમાં બન્યો છે. પિતા મકાન ખાલી ના કરતા હોવાની અદાવત રાખીને ભાઈએ બહેનને છરી ના ઘા ઝીંકીને હત્યા કરી દીધી. તો ભાણેજ અને પિતાને ઇજા પહોંચાડી છે.

જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. રામોલ વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા શેતાન સિંહ ચાવડાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમના દીકરા મદન સિંહે તેમની દીકરીને ઘરની બહાર જાહેર રોડ પર આડેધડ છરી ના ઘા માર્યા હતા.

જાે કે દીકરીને બચાવવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. જ્યારે તેમના ભાણેજને પણ છરીના ઘા મારીને ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ત્રણેય ને ગંભીર રીતે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીની દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જાે કે પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો મિલકતના વિવાદને લઈને થયો છે. ફરિયાદી મકાન ખાલી કરતા ના હોવાથી આરોપીએ આ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.