Western Times News

Gujarati News

ઉદ્ધવ સરકારને પછાડવા બળવાખોર ધારાસભ્યોને રૂપિયા સિવાય અન્ય વસ્તુઓ પણ અપાઈ છે: મમતા

કોલકતા,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલને લઈને મોટો આરોપ લગાવ્યો છે.

મમતા બેનર્જીએ કહ્યું કે ઉદ્ધવ સરકારને પછાડવા માટે બળવાખોર ધારાસભ્યોને પૈસા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ આપવામાં આવી હતી. જાે કે મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે મૌન રહેવું વધુ સારું છે.

ઉલ્લેખનીય છે કે, એક પત્રકાર ઈવેન્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અંગે મોટો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના પૈસા સિવાય મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કંઈક આપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારને તોડવા માટે પૈસા સિવાય અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને માત્ર પૈસા આપવામાં આવ્યા નથી.

આ સાથે બીજી ઘણી વસ્તુઓ આસામમાં સપ્લાય કરવામાં આવતી હતી.જેના પર પત્રકારોએ પૂછ્યું કે ‘કંઈક બીજું’ તમે શું કહેવા માગો છો. આ પછી મમતા બેનર્જીએ કહ્યું કે ક્યારેક ચૂપ રહેવું સોનું હોય છે અને બોલવું સિલ્વર હોય છે. તેથી જ હું ચૂપ રહેવું સારું.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું. મમતા બેનર્જીએ કહ્યું કે એકનાથ શિંદેની સરકાર ગેરકાયદેસર છે. મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી છે. પરંતુ મહારાષ્ટ્ર અને દેશનું દિલ જીતી શક્યા નથી. ઝ્રસ્એ કહ્યું કે પૈસાના આધારે ચૂંટાયેલી સરકાર મહારાષ્ટ્રમાં પથરાયેલી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૪માં લોકો ચૂંટવા માટે મત નહીં આપે, પરંતુ તેની વિરુદ્ધ વોટ કરશે.

સામાન્ય ચૂંટણીમાં લડાઈ જનતા અને ભાજપ વચ્ચે છે. લોકો ભાજપ વિરુદ્ધ વોટ કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે લોકો લોકતાંત્રિક રીતે ભાજપ પર બુલડોઝર ફેરવશે.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.