Western Times News

Gujarati News

સર્વ સમાજના યુવાનો માટે રાજકીય કારકિર્દી ઘડવા સરદાર ભવન ખાતે યોજાશે સેમિનાર

Seminar at Rajkot Sardar Bhavan

ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા (KYPLI)ની પહેલના ભાગરૂપે 6 ઓગસ્ટના રોજ સરદાર ભવન ખાતે યોજાશે સેમિનાર

ખોડલધામ પોતાની યશકલગીમાં ઉમેરશે એક નવીનતમ પીછું “રાજકીય કારકિર્દી”  ના માધ્યમથી યુવાનના સ્વપ્નને કરશે સાકાર

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ હંમેશા લોક ઉપયોગી અને સેવાલક્ષી કાર્ય છે, ટ્રસ્ટનું લક્ષ્ય પણ હંમેશા સેવાભાવના સાથે આધ્યત્મિક ભાવનામાં રહેલું છે. અલગ અલગ તમામ ક્ષેત્રે ખોડલધામ નવીનતમ વિચાર સાથે લોકસેવાના કાર્ય કરતું રહ્યું છે.

Naresh Patel, Khodaldham

તેથી જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અનેક વખત કહી ચૂક્યા છે કે, ‘ખોડલધામ એ એક સંસ્થા નથી, ખોડલધામ એ એક વિચાર છે‘ અને એ પણ એક મજબૂત વિચાર. ત્યારે ખોડલધામ પોતાની યશકલગીમાં એક નવીનતમ પીછું ઉમેરશે અને “રાજકીય કારકિર્દી” ના માધ્યમથી યુવાનના સ્વપ્નને સાકાર કરશે.

શ્રી ખોડલધામના નેજા હેઠળ મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ સહિત અનેક સમિતિઓ ચાલી રહી છે અને અનેક વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન અને ખોડલધામના નેજા હેઠળ એક અદકેરું અને નવું જ પીછું પોતાની યશકલગીમાં ઉમેરવા માટે જઈ રહ્યા છે.

જે છે રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે (KYPLI) એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. જ્યારે એક સામાન્ય વ્યક્તિ સરપંચ થી લઈને સંસદ સભ્ય સુધી બનવાનું લક્ષ્યને સેવે છે. એ યુવાનમાં જોમ અને જુસ્સો છે,

રાષ્ટ્ર ભક્તિ સાથે સેવા ભાવનાની એમના હૈયે આશ છે માતૃભૂમિના હિત માટે રાજકારણમાં જવાની ત્યારે આ લક્ષ્ય અને સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે ખોડલધામ તેમને પૂર્ણ રીતે સહયોગ કરશે. એમના લક્ષ્યને આંબવા અને એ સ્વપ્નને હાંસલ કરવા એમને મજબૂત બનાવશે.

કહેવાય છે કે સૌથી સારામાં સારું સેવા કરવા માટેનું અને દેશના હિત કાજે કાર્ય કરવાનું ક્ષેત્ર હોય તો એ રાજકારણ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની અંદર તમે પ્રવેશી અને ન‘તો માત્ર સમાજ, શહેર પરંતુ સમગ્ર રાજ્યનો અને દેશનો સર્વાંગી વિકાસ કરી શકો છો. આ એક સક્ષમ રાજકારણીની દીર્ઘદ્રષ્ટિ પર આધારિત હોય છે.

ત્યારે આગામી તારીખ 6 ઓગસ્ટ ને શનિવાર ના રોજ બપોરે 3 થી 6, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશન વાળી શેરી, મવડી રોડ, રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં સર્વ સમાજના યુવાનોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન મો. 70699 29297 કરાવવું જરૂરી છે. રાજકારણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો માટે એક ઉત્તમ તક રાજકોટના દ્વારે ખોડલધામ લઈને આવ્યું છે. અગ્રગણ્ય ફેકલ્ટી, અનુભવી વ્યક્તિઓ અને વિષયના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વ્યક્તિ પાસે તમામ રાજકીય પાસાઓની સમજ સાથે પરિણામ લક્ષી કામની સમજ આપવામાં આવશે.

ત્યારે આવનારા સમયમાં ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા (KYPLI) અંતર્ગત અનેક પ્રકલ્પ સાકાર થવાના છે. આગામી સમયમાં ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધીના વ્યક્તિઓના સંવાદો ગોઠવવામાં આવશે. જેમાં સફળ થયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યો યુવાનોને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરશે અને એમના માધ્યમથી આ શહેરને, રાજ્યને અને દેશને એક સરદાર વલ્લભભાઈ પટેલની પરંપરાને આગળ વધારે તેવા મજબૂત ને કદાવર નેતાઓ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.