Western Times News

Gujarati News

આમિર સોશિયલ મીડિયા પર મળી રહેલી નફરતથી પરેશાન છે

મુંબઈ, આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની ઘણા મહિનાઓથી ફેન્સ રાહ જાેઈ રહ્યા હતા અને આખરે તે રક્ષાબંધનના પર્વ પર એટલે કે ૧૧ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ હોલિવુડની ૧૯૯૪માં રિલીઝ થયેલી ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. જ્યાં એક તરફ ફેન્સ ‘લાલ સિંહ ચઢ્ઢા’ જાેવા માટે ઉત્સાહિત છે, તો બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ છેલ્લા ઘણા દિવસથી ટિ્‌વટર પર ફિલ્મને ટ્રેન્ડ કરી રહ્યા છે અને બોયકોટની માગ કરી રહ્યા છે.

આ સાથે તેઓ અન્યને પણ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ન જાેવા માટેના કેટલાક કારણો આપી રહ્યા છે. હાલમાં જ એક એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને #bocottLaalSingChaddha ટ્રેન્ડ વિશે વાત કરી હતી અને માફી પણ માગી હતી.

મેં માત્ર મારી ફિંગર્સ ક્રોસ કરીને રાખી છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. મને મારા દર્શકોમાં વિશ્વાસ છે’, તેમ આમિર ખાને જણાવ્યું હતું. ‘જાે મેં કોઈને ઠેસ પહોંચાડી છે અથવા કોઈનું દિલ દુભાવ્યું છે તો મને તે વાતનું દુઃખ છે અને મને માફ કરી દેજાે. હું તેમનું માન જાળવું છુ જે ફિલ્મ જાેવા નથી માગતા પરંતુ વધુ લોકો તે જુએ તેમ ઈચ્છું છું’, તેમ એક્ટરે પિંકવિલા સાથે વાતચીત કરતાં કહ્યું હતું.

અગાઉ ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમિર ખાને નફરત અને બિનજરૂરિયાત ટ્રોલિંગ તેને પરેશાન કરતાં હોવાનું કહ્યું હતું. ‘હા, મને દુઃખ થાય છે. આ ઉપરાંત મને દુઃખ થાય છે કે જે લોકો આવી વાત કરી રહ્યા છે, તેઓ માને છે કે, હું તેવી વ્યક્તિ છું જેને ભારત દેશ પસંદ નથી.

તેઓ તેમના દિલથી તેવું માને છે, પરંતુ તે સાચી વાત નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો એવું અનુભવે છે. એવું નથી. મારી ફિલ્મ બોયકોટ ન કરવાની વિનંતી કરું છું. મારી ફિલ્મ જાેવાની વિનંતી કરું છું’. આમિર ખાન આશરે છ વર્ષ બાદ કમબેક કરવા જઈ રહ્યો છે.

છેલ્લે તે વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દંગલ’માં જાેવા મળ્યો હતો. જેમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને ઝાઈરા વસિમ પણ લીડ રોલમાં હતી. સાક્ષી તન્વરે આમિર ખાનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું અને ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.