Western Times News

Gujarati News

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવા અંગે સસ્પેન્સ

સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહી શકે છે

૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દીધું હતું

નવી દિલ્હી,રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસની કમાન સંભાળશે કે નહીં તે અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે તેવામાં પાર્ટીમાંથી કેટલાક નામો સામે આવી રહ્યા છે જે પાર્ટીના પ્રમુખ પદની જવાબદારી સંભાળી શકે છે. કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે તેવામાં હજી પણ પ્રમુખ પદને લઈને સસ્પેન્સ બની રહ્યું છે.

૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દીધું હતું. તેથી તેઓ ફરીથી આ પદ સ્વીકારવા માટે દબાણમાં છે. તેમને તેમના વફાદાર તેમજ દિગ્ગજ નેતાઓ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ પદ સ્વીકારીને પાર્ટીને સ્થિરતા આપે. ત્રણ વર્ષમાં કોંગ્રેસ એક પણ ચૂંટણી જીતી શકી નથી. ઘણા લોકોનું માનવું છે કે રાહુલ ગાંધી હવે આ જવાબદારી સંભાળી લેશે.

કોંગ્રેસના નેતૃત્વનો પ્રશ્ન ઝડપથી ઉકેલાઈ જાય તે અત્યંત જરૂરી છે. આ ફક્ત કોંગ્રેસ માટે જ નહીં પરંતુ ૨૦૨૪ની ચૂંટણી માટે ભાજપ સામે એક થઈ રહેલા તમામ પક્ષો માટે પણ સારી વાત છે. પરંતુ જાે રાહુલ ગાંધી જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય તો સોનિયા ગાંધી પ્રમુખ પદે યથાવત રહી શકે છે અથવા તો કોઈ પીઢ અને અનુભવી નેતાને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આ શક્યતાના કારણે પાર્ટીમાં રહેલા સિનિયર નેતાઓ પર ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસંતુષ્ટ નેતાઓ સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા કમલ નાથને ચૂંટણી લડવા માટે કહ્યું છે, પરંતુ તેમણે આ પ્રસ્તાવને ફગાવી દેતા કહ્યું હતું કે ચાર વર્ષ સુધી ત્યાં રહ્યા બાદ તેઓ રાજ્યને છોડી શકે નહીં. એક સિનિયર નેતા તરીકે કમલનાથ ગાંધી પરિવારના નજીક છે અને પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા પણ તેઓ સ્વીકાર્ય છે.

કેટલાક કહે છે કે જાે પાર્ટીએ ગાંધી પરિવારની બહારની જગ્યા ભરવાની હોય તો વરિષ્ઠ દલિત નેતાની પસંદગી થઈ શકે છે, જે AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ નકારી કાઢશે. જે પ્રોફાઈલ સૂચવવામાં આવી રહી છે તેનાથી પાર્ટીના આંતરિક સૂત્રોમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેના નામને લઈને પણ ચર્ચા છે. પરંતુ મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિકના નામો પણ ચર્ચામાં છે.

ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમાર વિશે પણ વાત કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલો ફરીથી મજબૂત દાવેદાર ગણવામાં આવી શકે છે. જ્યારે કેટલાક લોકો એઆઈસીસી જનરલ સેક્રેટરી ઈનચાર્જ ઓફ કોમ્યુનિકેશન જયરામ રમેશનું નામ પણ ગણાવી રહ્યા છે.

રસપ્રદ રીતે, વરિષ્ઠ નેતા અંબિકા સોનીની સ્વતંત્રતા દિવસ પર પક્ષના મુખ્યમથક પર ધ્વજ ફરકાવવાની પસંદગીએ પણ ચર્ચા શરૂ કરી છે, નિરીક્ષકો પૂછે છે કે શું તેમાં ભવિષ્ય માટે કોઈ સંદેશ છે. જાેકે, ઘણા સંચાલકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વડાની ગેરહાજરીમાં આ કાર્ય નિયમિત રીતે વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા જેના કારણે અંબિકા સોનીએ ધ્વજ ફરકાવ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.