Western Times News

Gujarati News

આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઈકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે:  કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખર

ભરૂચમાં “યુવા ભારત માટે નવું ભારત” કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચ ખાતે ઓમકાર નાથ ઠાકુર હોલમાં “યુવા ભારત માટે નવું ભારત” કાર્યક્મમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઈકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે

અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે.આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઈકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમિ કન્ડક્ટર, સ્પેસ, મટિરિયલ્સ, ડ્રોન,એઆઈ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે. દેશ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી દીઘદ્રર્ષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક સો યુનિકોર્ન એવો છે કે, જેમની વેલ્યુ રૂ. ૮૦ હજાર કરોડ જેટલી થવા જાય છે.આ બાબત જ દર્શાવે છે કે, ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે, એમ કહેતા મંત્રીએ ઉમેર્યું કે, આગામી દસ વર્ષમાં ભારત વિશ્વની ટેક્નોલોજીની જરૂરિયાતોને સંતોષશે, એ પ્રકારે કામ થઇ રહ્યું છે.

દેશની યુવાશક્તિ વિશ્વને મહાત આપી રહી છે અને દુનિયાની સારી સારી કંપનીઓને પણ ભારતીય યુવાનો હંફાવી રહ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની દુરંદેશિતાથી વિશ્વમાં અનેક પ્રકારના પડકારોને પાર પાડીને દેશમાં સૌથી વધારે ફોરેન ઇન્વે્‌ટમેન્ટમાં ધરાવતો દેશ બન્યો છે.

આ ઉપરાંત કોરોના કાળમાં સૌથી વધારે વેક્સિનેશન તથા બહુ મોટી સંખ્યામાં નાગરિકોને આ સમયગાળામાં અનાજ આપવાની સૌથી મોટી યોજના અમલમાં મૂકી હતી.ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગના કારણે દેશમાં સુસાશનનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તેમ કહેતા તેમણે ઉમેર્યું કે,

આજે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.ઇન્ટરનેટ સલામત અને વિશ્વાસપાત્ર, જવાબદાર અને તમામ નાગરિકો માટે સરળ ઉપલબ્ધ હોવાની આવશ્યક્તા ઉપર ભાર મૂકતા ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લિગલ ફ્રેમ વર્ક તૈયાર કરીને આ ક્ષેત્રને વધુ જવાબદેહી બનાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.