Western Times News

Gujarati News

ધનસુરામાં ઉલ્લાસભેર ગણેશ વિસર્જન કરાયું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા માં ઉત્સાહપૂર્વક ગણેશ ભગવાનજી ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશ મહોત્સવ માં ભક્તોએ ભગવાનની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી.અને ગણેશ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

ત્યારે આજે ધનસુરા ના અમૃત સરોવર ખાતે ધનસુરા ગામ ના વિવિધ જગ્યા એ સ્થાપના કરવામાં આવેલ ગણેશ ભગવાનજી ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ધનસુરા ના વિશાળ અમૃત સરોવર ખાતે ક્રેન દ્વારા અને પોલીસ બંદોબસ્ત દ્વારા ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભગવાન ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.ભગવાનના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.ગણપતિ બાપ્પા મોરીયા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્‌યું હતું.ભક્તોદ્વારા ડીજે ના તાલે અને ગુલાલ ઉડાડી ભગવાન ની મૂર્તિ નું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.