Western Times News

Gujarati News

રેલ્વેનો પાટો તૂટેલી હાલતમાં મળી આવતા મુંબઈ જતી ૩ ટ્રેનો અટકાવાઈ

ભરૂચના નબીપુરમાં રેલ્વેનો અપ લાઈનનો પાટો તૂટેલી હાલતમાં મળી આવતા મુંબઈ જતી ૩ ટ્રેનો અટકાવાઈ-ડ્રાઈવર અને ગેંગમેનની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી: વડોદરાથી ભરૂચ તરફ આવતી ૩ ટ્રેનોને નબીપુર પાલેજ ઉભી કરી દેવાઈ

(પ્રતિનિધિ) ભરૂચ,  ભરૂચના નબીપુર રેલ્વે સ્ટેશન ઉપર અપલાઈન ઉપર રેલ ફેક્ચરની ઘટના સોમવારે સવારે સામે આવી છે. જાેકે ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી.

નબીપુર અપલાઈન પર રેલ ફેક્ચરને લઈ અમદાવાદ – દિલ્હી – મુંબઈનો ટ્રેન વ્યવહાર ૩૦ મિનિટ સુધી ઠપ થઈ ગયો હતો.અડધા કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.

શિયાળામાં રેલ્વેના પાટા સંકોચાવાની અને ઉનાળામાં વિસ્તરણ પામવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા અને ગરમીમાં પોહળા થવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ્વે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે.એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે.

આવી જ એક ઘટના સોમવારે સવારે ૯ કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક સામે આવી હતી. વડોદરા – ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જાેડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો.સોમવારે સવારના ફરજ બજાવતાં ગેગમેન કે પેહલા પસાર થયેલી ઉદેપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરને રેલ ક્રેક વિશે જાણ થઈ હોવાની માહિતી સાંપડી છે.

રેલ્વે ટ્રેક ચેકીંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલ્વેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પી ડબ્લ્યૂ આઈ ને પણ કરાઈ હતી.રેલ્વે ગેંગમેનની સમય સુચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી.

ઉચ્ચ રેલ્વે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી.જેમાં પાલેજ,નબીપુર અને અન્ય સ્ટેશનો ઉપર પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એકપ્રેસ અને પુરી વલસાડ ૩ ટ્રેનોને અટકાવી દેવાઈ હતી.

રેલ્વે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી ૩ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમય કરતાં અડધોથી પોણો કલાક મોડી ચાલતી હતી.રેલ્વેએ અડધો કલાકનો બ્લોક લઈ ટ્રેક કેક્ચરને નવો પાટો નાખી દુરસ્ત કરી દીધું હતું. આશરે સવા ૧૦ કલાકથી અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.