Western Times News

Gujarati News

બહેરામપુરા ખાતેના પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લેતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી.

તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલાં પક્ષીઓને ગગનમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.