Western Times News

Gujarati News

રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા ગાંધીનગર અને અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ

રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વી.કે. ત્રિપાઠી દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર અને અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.સાથે શ્રી પ્રકાશ બુટાની જનરલ મેનેજર (ઈન્ચાર્જ) પશ્ચિમ રેલવે, શ્રી તરુણ જૈન, ડિવિઝનલ રેલવે મેનેજર, અમદાવાદ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

મંડળ રેલવે પ્રવક્તા એ માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી ત્રિપાઠી દ્વારા ગાંધીનગર સ્ટેશનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમણે ગાંધીનગર સ્ટેશનના પ્લેટફોર્મ, કોન્કોર્સ હોલ, પરિસર વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારની  મુલાકાત લીધી હતી..

શ્રી ત્રિપાઠી દ્વારા વંદે ભારત ટ્રેનના સમગ્ર રેકની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ગાંધીનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દ્વારા  મુસાફરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા NHSRCL પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.