Western Times News

Gujarati News

ભરૂચના તવરા ગામે પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાવામાં આવી

(પ્રતિનિધિ)ભરૂચ, આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે.આસો નવરાત્રી ના પ્રથમ નોરતે માતાજીના મંદિરે જવારા ની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં જવારામાં ઘઉં જુવાર વાલ મગ જવ જેવા કઠોળ થી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી.

તો સમગ્ર ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે થીજ કેટલાક ભક્તો એકટાણું ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે.આહીર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે માતાજીના માઈ ભક્તો નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના મઢને પણ સાફ-સફાઈ કરી માતાજી જવારાની સ્થાપના કરવામાં આવી હતી.માતાજીના જવારા નું દસ દિવસ પુજન અર્ચન કરી દસ દિવસ ઉપવાસ પણ માતાજીના મય ભક્તો કરી આસો નવરાત્રિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરનાર છે.

આસો નવરાત્રીનો ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય રહ્યો છે.દસ દિવસ માતાજીના જવાની સ્થાપના કરી માતાજીના જવારા નું પૂજન અર્ચન કરી વિવિધ કાર્યક્રમો કરી નવરાત્રીની ઉજવણી આહીર સમાજ દ્વારા કરવામાં આવે છે.

જેમાં આજે પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી તથા દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દસ માં દિવસે દશેરાના દિવસે માતાજીના જવારાનું વિસર્જન નર્મદા નદીમાં ઢોલ નગારાના તાલે કરી માતાજીના જવારાને વિદાય આપવામાં આવે છે.આ ઉત્સવમાં ભરૂચ જીલ્લાભર માંથી માઈ ભક્તો માતાજીના દર્શન અર્થે તવરા પાંચદૈવી મંદિરે ઉમટી પડતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.