Western Times News

Gujarati News

ફરી ગુજરાતના જંગલોમાં દોડતા જોવા મળશે ચિત્તા

અમદાવાદ, તાજેતરમાં જ નામિબિયાથી ૮ ચિત્તા ભારત લાવવામાં આવ્યા છે, અને યોજના અનુસાર જાે આ ચિત્તા મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં સેટ થઈ જશે તો શક્ય છે કે ગુજરાતના જંગલોમાં પણ ચિત્તા દોડતા થઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે તે કેન્દ્ર સરકારને એક સત્તાવાર વિનંતી કરશે અને ચિત્તાને અહીં ફરી એકવાર લાવવાની માંગ કરવામાં આવશે. ચિત્તા માટે કહેવાય છે કે પ્રાણીઓમાં સૌથી વધારે ઝડપથી દોડવાની ક્ષમતા ચિત્તાની હોય છે.

ગુજરાતમાં લગભગ ૮૦ વર્ષ પહેલા ચિત્તા વિલુપ્ત થઈ ગયા હતા. વર્ષ ૧૯૪૦માં પ્રભાસ પાટણમાં ચિત્તા જાેવા મળયા હતા. આ સમગ્ર બાબતના જાણકાર સૂત્રોએ જણાવ્યું કે, ચિત્તાને ગુજરાત લાવવા માટે આતુર છીએ કારણકે તેનાથી ટૂરિઝમમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક ઈકો-સિસ્ટમને પણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પણ ચિત્તાને મધ્યપ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાં મોકલવાની યોજના બનાવી ચૂકી છે. ઉંચાઈ વાળા સ્થળો, દરિયાકિનારા તેમજ નોર્થઈસ્ટના વિસ્તારો સિવાય દેશના મોટાભાગના સ્થળોએ ચિત્તા માટે અનુકૂળ વાતાવરણ હોય છે. વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૨ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં લગભગ ૧૦ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો.

શિકારનું પ્રમાણ, અન્ય પ્રાણીઓની સંખ્યા અને વાતાવરણને ધ્યાનમાં રાખીને કૂનો નેશનલ પાર્ક શ્રેષ્ઠ વિકલ્પ જણાયો હતો. આ સર્વે વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. સરકારના એક સૂત્ર જણાવે છે કે, ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં આવેલ બન્ની ગ્રાસલેન્ડની પસંદગી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં એક ફોર્મલ લેટર મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગને મોકલશે. MoEFCCના એક ઉચ્ચ અધિકારીએ પણ પૃષ્ટિ કરી કે યોજનામાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, જાે અમને રાજ્ય તરફથી પ્રસ્તાવ મળશે તો અમે આ બાબતે ર્નિણય લઈશું. કૂનો પાલપુર પ્રોજેક્ટની સફળતા પર તે ર્નિણય આધારિત છે.

જાે એક ચિત્તાનું સંવર્ધન પણ સફળતાપૂર્વક થશે તો અમે તેમને અન્ય સ્થળોએ મોકલવાના વિચાર પર ધ્યાન આપીશું. ગુજરાતની વાત કરીએ તો ૧૯૪૦માં અંતિમ ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો. તે ચિત્તો ૪ ફૂટ અને ૩ ઈંચ ઉંચો હતો અને ૬ ફૂટ અને ૯ ઈંચ લાંબો હતો.

અધિકારીએ જણાવ્યું કે, કૂનો પાલપુરમાં અત્યારે ૨૧ ચિત્તાના સંરક્ષણની ક્ષમતા છે. જાે અભયારણ્યમાં ચિત્તાની વસતી વધશે અને અમને અન્ય રાજ્યો તરફથી પ્રસ્તાવ આવશે તો અમે તેમને આગળનો આદેશ આપીશું. આટલુ જ નહીં, મધ્યપ્રદેશના નૌરાદેહી અને ગાંધીસાગરમાં પુનઃસ્થાપનની પ્રવૃત્તિઓ પણ શરુ કરવામાં આવશે.

ગુજરાતમાં બન્ની સાઈટ સૌથી સુરક્ષિત અને યોગ્ય સ્થળ છે. ત્યાં ૨૦-૩૦ ચિત્તા રહી શકે છે. જાે રાજ્ય સરકાર માની જાય તો આફ્રિકાથી ૧૦ ચિત્તા લાવી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.