Western Times News

Gujarati News

માણાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાલુકાનું ભવ્ય પથ સંચલન યોજાયું

(પ્રતિનિધિ)માણાવદર, દેશના નાગરિકોને દિશા આપવાના કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘના સ્વયંસેવકો દ્વારા થાય છે આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિઓ અને ઇતિહાસને સમજીને તે મુજબનું જીવન બનાવવું એ સમયની માંગ છે કોઈ એક ભૂમિ માટે પોતાની પેઢી દર પેઢી પોતાનું જીવન વ્યાપન કરીને પોતાની માતા અને સર્વસ્વ માનવામાં આવે છે તેવી એક સમાજને જાેવાની દ્રષ્ટિ તૈયાર થાય છે જેને સંસ્કૃતિ કહેવાય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના સને ૧૯૨૫ માં નાગપુર ખાતે વિજયાદશમીના પરમ પવિત્ર દિવસે ડોક્ટર હેડગેવારજી દ્વારા કરવામાં આવી હતી જે આજે સમગ્ર ભારત વર્ષ અને દુનિયાના ઘણા દેશોમાં કાર્યરત છે. રાષ્ટ્રને સમર્પિત અને સંસ્કૃતિની ભાવનાથી ઉજાગર એવા સ્વયંસેવકો દ્વારા માણાવદર શહેર અને તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અનેક ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિજયાદશમીના અવસરે તાલુકાનું સંચાલન અને શસ્ત્ર પૂજન નો ભવ્ય ઉત્સવ યોજી હિંદુ સંસ્કૃતિની પરંપરા ઝાળવી રાખવામાં આવી હતી.

સંઘના ૧૫૦ જેટલા સ્વયંસેવકો સેનાના રણબંકાઓની જેમ ગણવેશમાં શહેરના મુખ્ય માર્ગો પર ઘોષવાદ્યોના લયબદ્ધ વાદન સાથે સંઘના ગુરુ પ્રતીક એવા ભગવા ધ્વજને કેન્દ્રમાં ધારણ કરી કદમ થી કદમ મિલાવીને ભવયાતી ભવ્ય શૌર્ય સાથે સંચલનમાં જાેડાઈ હિંદુ સંસ્કૃતિના સૂર્યનું પ્રદર્શન કર્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો દ્વારા ભગવા ધ્વજ ઉપર આ સંચાલન દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે સંઘના જુનાગઢ વિભાગના સંચાલક શ્રી શામજીભાઈ દુધાત દ્વારા પ્રસંગોચિત બૌદ્ધિક પ્રવચન આપેલ હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માણાવદર તાલુકાના સંઘચાલક ભાવેશભાઈ માકડીયા, તાલુકા કાર્યવાહ ગોવિંદભાઈ ડઢાણીયા, નગર કાર્યવાહ પંકજભાઈ બુટાણી તેમજ માણાવદર ના તમામ સ્વયંસેવકોએ જેહમત ઉઠાવી હતી આ તકે માણાવદર સ્થિત અનુપમ મિશન કે જે એક ધાર્મિક અને સેવાભાવી સંસ્થા છે તેના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અનુપમ મિશન માણાવદર દ્વારા તેમના સાધકોએ વ્યવસ્થામાં ખૂબ સહકાર આપેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.