Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્ષના ચેક રિટર્નની પેનલ્ટીમાં ઘટાડો કરવામાં આવશે

પ્રોપર્ટી કે અન્ય ટેક્સનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા કરદાતાઓ પાસેથી ચેક રિટર્ન સામે ઘણી મોટી રકમ દંડ પેટે વસુલ કરવામાં આવે છે કેટલાક કિસ્સામાં મિલકત ધારકો દંડની રકમ ભરપાઈ પણ કરી શકતા નથી તેથી સતાધારી પાર્ટીએ ચેક રિટર્ન મામલે લેવામાં આવતી પેનલ્ટીમાં ઘટાડો કરવા નિર્ણય કર્યો છે તે અંગે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજુઆત પણ કરવામાં આવશે તેવી જ રીતે અમદાવાદના નાગરિકો કોઈપણ મિલકત  વેચાણ કરે છે.

ત્યારે ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના પ્રોફેશનલ ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનારા નવા માલિકને જાણ હોતી નથી. જેથી રેવન્યુ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા હવેથી પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘ર્દ્ગ ડ્ઢેી ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંી’ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઇપણ ચેક રીટર્ન થાય તો તેની ઉપર કલમ ૧૩૮ મુજબ ફરીયાદ નોંધાવાની જાેગવાઇ છે જેમાં રહેઠાણની મિલકતો માટે રૂ.૫૦૦ અથવા ચેકની રકમના ૫ ટકા (બે માંથી જે ઓછી રકમ હોય), બિન રહેઠાણ મિલકતો માટે રૂ. ૧૦૦૦ અથવા ચેકની રકમના ૫ ટકા (બે માંથી જે વધુ રકમ હોય) આવા સંજાેગોમાં બિનરહેઠાણની મિલકતોમાં કોઇપણ ટેકનીકલ અથવા અન્ય કારણથી જાે ચેક રીટર્ન થાય તો કલમ ૧૩૮ની કાર્યવાહી ઉપરાંત ખુબ જ મોટી પેનલ્ટી ની રકમ લાગે છે.

જે ધ્યાને લેતાં હવે પછીથી પ્રમાણિક કરદાતાની કોઇ ક્ષતિને કારણે તેઓને ખુબ જ મોટી રકમનો દંડ ન થાય તે હેતુથી બિન રહેઠાણની મિલકતો માં પણ રહેઠાણની મિલકતોની જેમ ચેક રીટર્ન થાય તો રૂ. ૧૦૦૦ અથવા ચેકની રકમના ૫ ટકા બે માંથી જે ઓછી રકમ હોય તેટલો વહીવટી ચાર્જ લગાવવા મ્યુનિસિપલ કમિશ્નર સાથે પરામર્શ કરી જરૂરી સુચના નાણાં ખાતે આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવશે.જેથી કરદાતાઓને દંડની રકમમાં રાહત મળી શકશે.

સામાન્ય નાગરિકને કોઇપણ મિલકતનું ખરીદ વેચાણ કરતી વખતે પ્રોપર્ટી અને અન્ય ટેક્સ સંપુર્ણ ભરપાઇ થયો છે તેવા સર્ટિફિકેટની જરૂર હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓમાં તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓમાં કોઇપણ કામગીરી માટે પ્રોપર્ટી તથા અન્ય ભરવાપાત્ર ટેકસ પુરેપુરો ભરેલો છે

તેવા પુરાવા આપવાની જરૂર હોય છે. ઘણા સરકારી કચેરીઓમાં official *No- due certificate’ રજુ કરવા અંગે આગ્રહ કરવામાં આવે છે અને આવી પ્રકારની કોઇ સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપલબધ નથી. જેથી ઘણીવાર નાગરિકોને મુશ્કેલી પડતી હોય છે તેમજ સ્ટાફ સાથે બિનજરૂરી ઘર્ષણ થાય છે.

સામાન્ય રીતે પ્રોપર્ટી ટેકસ અંગેની જાણકારી નાગરિકોને હોય છે પરંતુ ઘણીવાર બાકી પ્રોફેશન ટેકસ વિષે જાણકારી હોતી નથી. ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના પ્રોફેશન ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનાર નવા માલિકને જાણ હોતી નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘No due Certificate’  આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.