Western Times News

Gujarati News

સ્વાસ્થ્ય મંત્રાલય હવે કોરોના રસી નહીં ખરીદે: કરોડો રૂપિયાનું ફંડ પણ પરત કર્યું

નવીદિલ્હી, દેશમાં કોરોનાના ઘટતા કેસ અને રસીકરણના વધતા પર્સન્ટેજ જાેતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી ખરીદશે નહીં.

એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા ૪,૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયને પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧.૮ કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન માટે પૂરતી છે.

વાત જાણે એમ છે કે કોવિડ-૧૯ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જાેવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ આપવા માટે અમૃત મહોત્સવ નામથી ૭૫ દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જાેવા મળી નહી.

આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક પડ્યો છે. જેમાંથી કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે.

હવે આ બધા કારણો જાેતા સરકારે હવે રસી ન ખરીદવાનો ર્નિણય લીધો છે. સરકારનું કહેવું છે કે ૬ મહિના બાદ હાલાત પ્રમાણે આગળ ર્નિણય લેવાશે.

કેન્દ્ર સરકારે ગત વર્ષ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ માટે તેમને કોવિડ-૧૯ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દેશમાં ૨૧૯.૩૨ કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા.

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની ૯૮ ટકા વયસ્ક વસ્તી કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે ૯૨ ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના ૧૫ થી ૧૮ વર્ષના ૯૩.૭ ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે.

જ્યારે ૭૨ ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. ૧૨થી ૧૪ વર્ષના વર્ગમાં ૮૭.૩ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૬૮.૧ ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ૨૭ ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.