Western Times News

Gujarati News

જામનગરમાં પુત્રવધૂના ત્રાસથી ઝેરી દવા પીનાર સસરાનું મૃત્યુ

Files Photo

જામનગર : જામનગરના વૈશાલીનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ પરમાર નામના વૃદ્ધે ગત સપ્તાહમાં સિટી બી ડીવીઝન નજીકના સ્વાગત કોમ્પલેક્ષ પાસે બેરીકેટ આગળ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમણે પુત્રવધુના ત્રાસથી કંટાળી પોલીસ સમક્ષ રજુઆત કરવા ગયા હોવાનું જણાવ્યું હતું દરમિયાન હીરાભાઈ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

આ અંગે મનિષ હીરાભાઈ પરમાર દ્વારા વૈશાલીનગરમાં રહેતી અમૃતાબેન અમીતભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.