Western Times News

Gujarati News

મોરબી જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા ભરૂચ પોલીસ એલર્ટ

શુક્લતીર્થ ખાતે પૂનમના ભાતીગળ મેળાની તૈયારીઓનું SPએ જાતે નિરીક્ષણ કર્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  મોરબી દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે.વિવિધ સ્થળોએ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે.

શુક્લતીર્થ ખાતે કારતકી પૂર્ણિમાએ ભરાતા ભાતીગળ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.દર વર્ષે આ મેળામાં શુકલતીર્થ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. શુકલતીર્થ થી કબીરવડના બેટ ઉપર જવા માટે બોટનો ઉપયોગ થાય છે ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન હાથ ધરાયા છે.

મોરબીની હોનારત બાદ સતર્કતા માટે ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે શુકલતીર્થ ખાતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભાતીગળ મેળામાં મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા, મનોરંજન વિભાગમાં ચકડોળ અને ખાણી પીણીના સ્ટોલમાં આગના બનાવ ન બને તે માટે સલામતી,પાર્કિંગની વ્યવસ્થા અને ખાસ કરીને બોટીંગની વ્યવસ્થાની માહિતી મેળવી ૧૫ બોટ હાજર રાખવા સૂચના આપી હતી.

આ ઉપરાંત બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ માટે લાઈફ જેકેટ અને તરવૈયાઓની વ્યવસ્થા રાખવા આયોજકોને જણાવવા સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ભીડ ઉપર નિયંત્રણ માટે ૩૦૦ પોલીસકર્મીઓ અને ૩૦૦ એલઆરડી અને હોમગાર્ડના જવાન મળી ૬૦૦ લોકોનું પોલીસબળ ઉપરાંત અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહેશે.

પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો ધરાવતા પોલીસ સ્ટેશનોની ટીમને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.પર્યટકો અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.ટ્રાફિકજામ કે અનિયંત્રિત ભીડ જેવા સંજાેગો સર્જાય તો તાત્કાલિક ડાયવર્ઝન અને ટ્રાફિક અટકાવવા સહિતના ર્નિણય લેવા આયોજન કરાયા છે.

આકામગીરી ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાનો અંદાજ છે.કોઈ અવ્યવસ્થા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જાતે આયોજન ઉપર નજર રાખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.