Western Times News

Gujarati News

પીએમ મોદી જી-૨૦ સમિટ માટે ઈન્ડોનેશિયાના બાલીમાં જશે

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલીમાં યોજાનાર જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું કે પીએમ મોદી ૧૭માં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ૧૪થી ૧૬ નવેમ્બર સુધી ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે.

અરિંદમ બાગચીએ આગળ કહ્યુ કે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તન સહિત જી-૨૦ શિખર સંમેલનના એજન્ડાના ભાગ રૂપે ત્રણ કાર્ય સત્ર આયોજીત કરવામાં આવશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં અન્ય દેશોના રાષ્ટ્રા અધ્યક્ષોની સાથે મુલાકાત કરશે.

ઈન્ડોનેશિયાની જી-૨૦ પ્રેસીડેન્સી ૧ ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ થઈ હતી. શિખર સંમેલનના સમાપન સત્રમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડો પ્રતીકાત્મક રૂપથી પીએમ મોદીને જી-૨૦ની અધ્યક્ષતા સોંપશે. ભારત આગામી ૧ ડિસેમ્બરથી જી-૨૦ ની અધ્યક્ષતા કરશે. મંગળવારે પીએમ મોદીએ ભારતના જી-૨૦ પ્રેસીડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.