Western Times News

Gujarati News

અભિનેતા વિક્રમ ગોખલેના પરિવારે ફગાવ્યા નિધનના સમાચાર

મુંબઈ, અનેક ટીવી સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે ઘણાં સમયથી બીમાર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે તેમના નિધનની વાત સામે આવી હતી.

પરંતુ વિક્રમ ગોખલેના પત્ની વૃષાલીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આ ખબરો ફગાવી છે. વૃષાલીએ જણાવ્યું કે, તે હજી જીવિત છે. ગઈકાલે બપોરે તે કોમામાં જતા રહ્યા હતા, અને ત્યારપછી તેઓ સ્પર્શ પર કોઈ પ્રતિક્રિયા નથી આપતા. હજી પણ તે વેન્ટિલેટર પર છે.

ડોક્ટર્સ સવારે નક્કી કરશે કે તેમની સ્થિતિ સુધરી રહી છે, તેઓ સારવાર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે નહીં. વૃષાલી ગોખલેએ જણાવ્યું કે, વિક્રમ ગોખલે ૫ નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સહેજ સારી થઈ હતી અને પછી ફરીથી તેઓ બીમાર થઈ ગયા હતા.

તેમને ઘણી સમસ્યાઓ હતી, હાર્ટ અને કિડની બન્નેમાં તકલીફ હતી. અત્યારે તેઓ મલ્ટી-ઓર્ગન ફેઈલનો શિકાર બન્યા છે. આ સિવાય વૃષાલીએ પતિની ઉંમરને લગતી ચોખવટ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, અહેવાલોમાં મારા પતિની ઉંમર ૮૨ દર્શાવવામાં આવે છે, પરંતુ તેમની ઉંમર ૭૭ છે.

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટર ધનંજય કેલકરે પણ જણાવ્યું કે, વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સાચા નથી. વિક્રમ ગોખલેના દીકરીએ પણ જણાવ્યું કે, તમની સ્થિતિ અત્યારે ગંભીર છે અને તેમને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમના માટે પ્રાર્થના કરતા રહો. વિક્રમ ગોખલેના એક દીકરી વિદેશમાં રહેતા હતા, જે પિતાની સ્થિતિ વિશે સાંભળીને આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે વિક્રમ ગોખલે તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસ્સાનીની ફિલ્મ નિકમ્મામાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મ જૂન મહિનામાં રીલિઝ થઈ હતી.

૨૬ વર્ષની ઉંમરે વિક્રમ ગોખલેએ અમિતાભ બચ્ચનની ફિલ્મ પરવાના સાથે ડેબ્યુ કર્યુ હતું. તેમણે અત્યાર સુધી ૪૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં તેમને મરાઠી ફિલ્મ અનુમતિ માટે નેશનલ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.