Western Times News

Gujarati News

આમોદમાં ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા ઉપર વારંવાર વીજ વાયર તૂટવાથી નાગરિકો ભયભીત

ભરૂચ: આમોદ નગરમાં વારંવાર વીજ વાયર તૂટવાથી નગરજનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ જોવા મળી રહે રહ્યો છે.આજ રોજ સવારે આમોદ ચાર રસ્તા પાસે વીજ વાયર તૂટી પડતા વેપારીઓ અને મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી.

આમોદ ચાર રસ્તા પાસે આવેલા વીજ થાંભલાના વીજ વાયર ઉપર પક્ષીઓ બેસવાથી વારંવાર વીજ ફોલ્ટ થવાના બનાવો બન્યા હતા.અને ભૂતકાળમાં કેટલાક પક્ષીઓના મોત પણ નિપજ્યા હતા.જેથી પક્ષી પ્રેમીઓમાં પણ ચિંતા પ્રસરી જવા પામી હતી. આમોદમાં સવારે વેપારીઓ વિધાર્થીઓ તેમજ મુસાફરોની વધુ ભીડ હોય છે તેવા સમયે જ આજે સવારે  અચાનક વીજ થાંભલા ઉપરથી વીજ વાયર તૂટતાં વેપારીઓ,વિધાર્થીઓમાં અને મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી.જોકે કોઈ જાનહાની થઈ ન હોતી.પરંતુ ચાર રસ્તા ઉપર આવેલા એક જ થાંભલા ઉપર પક્ષીઓ બેસવાથી વારંવાર વીજ ફોલ્ટ થયા હતા.જયારે આજે ચાલુ વીજ વાયર તૂટતાં જ વેપારીઓ મુસાફરો વિધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

આ બાબતે આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઈજનેર અંકિત પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કદાચ બે વાયર બાંધેલા હોય અને લાંબો સમય થઈ ગયો હોય તો તેમાંથી તૂટી ગયો હોય તેવું બની શકે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.