Western Times News

Gujarati News

અંદરથી ખૂબ સુંદર છે વિરાટ-અનુષ્કાનું અલીબાગમાં આવેલું ફાર્મહાઉસ

મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોપ્યુલર સેલિબ્રિટી કપલ છે. વિરાટ અને અનુષ્કા કપલ ગોલ્સ આપતાં રહે છે. બંને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે અને સારા-ખરાબ સમયમાં એકબીજાના પડખે રહ્યા છે. હાલ અનુષ્કા શર્મા આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

ત્યારે ટી-૨૦ વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીને ક્રિકેટિંગ શિડ્યુલમાંથી આરામ આપવામાં આવ્યો છે. જેથી હાલ વિરાટ પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે મુંબઈમાં છે. થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં એક બંગલો ખરીદ્યો છે. હવે કપલનો આ બંગલો તૈયાર થઈ ગયો છે અને તેની તસવીરો પણ સામે આવી છે.

અલીબાગમાં આવેલા વિરાટ અને અનુષ્કાના બંગલાના ઈન્ટીરિયરનું કામ સુઝૈન ખાને કર્યું છે. આ વર્ષે ગણશોત્સવ વખતે જ પાવર કપલે અલીબાગમાં આ ફાર્મહાઉસ ખરીદ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, ઝિરાડ પાસે આવેલું આ ઘર ૮ એકરમાં ફેલાયેલું છે. આ વિલામાં ચાર બેડરૂમ, બે કાર ગેરેજ, પાવડર રૂમ સાથેના ચાર બાથરૂમ, ટેરેસ, આઉટડોર ડાઈનિંગ એરિયા, પ્રાઈવેટ પુલ અને વિશાળ ખુલ્લી જગ્યા છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, આ પ્રોપર્ટીની કિંમત ૧૦.૫થી ૧૩ કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી અલીબાગના આવાસ ગામમાં આવેલી છે. અનુષ્કા અને વિરાટના ફાર્મહાઉસની તસવીરો સામે આવી છે. મૂળ થીમ વ્હાઈટ રાખવામાં આવી છે. સફેદ શાંતિ આપતો રંગ છે. ત્યારે કપલે તેમના આ હોલિડે હોમને એ જ રીતે તૈયાર કરાવ્યું છે. ઘરમાં હરિયાળી અને મોર્ડન ફર્નિચર જાેવા મળી રહ્યું છે.

પુલ એરિયા, હોલ, ડાઈનિંગ એરિયા ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ પહેલા અલીબાગમાં ઘર બનાવ્યું હતું.

ભારતયી ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ મ્હાત્રોલી-સરલ વિસ્તારમાં ૩ એકરનું ફાર્મહાઉસ ખરીદ્યું છે અને હાલ તે અંડર કંસ્ટ્રક્શન છે, તેમ આ ફાર્મહાઉસના બિલ્ડર અમિત નાયકે જણાવ્યું. આ ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ પણ અલીબાગમાં ઘર ખરીદવામાં રસ ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.