Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેર સભા યોજાઈ no

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક પર જંગી જાહેરસભા ને સંબોધી હતી.

ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલના સમર્થનમાં સ્મૃતિ ઈરાનીએ સંબોધેલી આ સભામાં વલસાડ જિલ્લાની વલસાડ તાલુકાના ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા ૪૨ ગામના સરપંચો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પહેલા સ્મૃતિ ઈરાનીએ ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના સરીગામમાં પણ ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકરના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી.

સરીગામ અને વલસાડના ખજુરડીમાં યોજાયેલી જાહેર સભામાં સ્મૃતિ ઈરાની ભાજપના ભગવા ગરબાના તાલે ભાજપની મહિલા કાર્યકર્તાઓ સાથે ગરબે ઘુમ્યા હતા. અને મહિલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ખજૂરડી ગામમાં યોજાયેલી સભામાં સ્મૃતિ ઈરાની એ અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

તેઓએ નામજાેગ રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા હતા. અને ગુજરાતની ભાજપ સાક્ષિત રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓ લોકો સમક્ષ મૂકી અને ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ અને ઉમરગામ બેઠક નાં ભાજપ ના ઉમેદવાર રમણ પાટકર માટે મત માંગ્યા હતા. વલસાડના ખજુરડીમાં યોજાયેલી સભામાં જંગીમેદની ઉમટી પડી હતી અને સ્મૃતિ ઈરાનીએ અનેક મુદ્દે વિરોધીઓને આડેહાથ લઈ ભાજપના ઉમેદવારના માટે લોકોનું સમર્થન માંગ્યું હતું.

અને આ વખતે પણ ગુજરાતમા ભાજપની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધરમપુર વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે ખજુરડી ગામના સરપંચ સ્નેહલ પટેલ તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાંશી પટેલ ના ખજુરડી ગામ માં યોજાયેલ જાહેર સભા ની સુંદર તૈયારીઓ માટે બિરદાવ્યા હતા, ખજુરડી ગામના યુવા સરપંચ સ્નેહલ પટેલ તેમજ કાર્યકર્તા ઓની અથાગ મહેનત આવનાર વિધાનસભાની ચૂંટણીમાં રંગ લાવશે છે તેવું અરવિંદ પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.