Western Times News

Gujarati News

ભડકાઉ ભાષણ બદલ ભાજપના નેતા સામે FIR નોંધાઈ

(એજન્સી)પાટણ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો જાેર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દરેક પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.

ગુજરાત ચૂંટણીને લઈ આજે સાંજથી પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે મતદારોને આકર્ષવા માટે ભાજપના એક નેતાએ પાટણમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. જાેકે, સભામાં ભડકાઉ ભાષણ બદલ ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

મનોજ પટેલે ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈની સભામાં મંદિર-મસ્જિદને લઈને આપેલા ભડકાઉ ભાષણ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. મનોજ પટેલે ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈની ચૂંટણી સભામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.