Western Times News

Gujarati News

કાર્તિક આર્યનની મમ્મીને નથી તેને પરણાવવાની ઉતાવળ

મુંબઈ, કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ૨ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મની સફળતાથી કાર્તિક આર્યનનું સ્ટારડમ વધી ગયું છે. સાથે જ તેના માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પાયા મજબૂત કરવાનો માર્ગ મોકળો કર્યો છે.

કાર્તિક આર્યનની લેટેસ્ટ ફિલ્મ ‘ફ્રેડી’ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યને ગ્રે શેડનું પાત્ર ભજવ્યું છે અને આ માટે તેના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કાર્તિક આર્યને પોતાને મળેલી સફળતા અને લગ્ન કરીને ઠરીઠામ થવા અંગે વાત કરી હતી. સાથે જ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાનો વિચાર છે કે કેમ તેના અંગે પણ જણાવ્યું હતું. કાર્તિક આર્યન દેશના મોસ્ટ એલિજિબલ બેચલર પૈકીનો એક છે.

કરોડો છોકરીઓ કાર્તિકની પાછળ ગાંડી છે. ફેન્સને હંમેશા કાર્તિકના અંગત જીવન વિશે જાણવામાં રસ રહે છે. કાર્તિક આર્યનની લવ લાઈફમાં શું ચાલી રહ્યું છે અને તે લગ્ન ક્યારે કરવાનો છે તે અંગેનો ખુલાસો એક્ટરે પોતે જ કરી દીધો છે. કાર્તિકનું કહેવું છે કે, તેના પરિવાર તરફથી લગ્ન કરવા માટે કોઈ દબાણ નથી. સાથે જ તેનાં મમ્મીએ લગ્ન વિશે આપેલી સલાહનો ખુલાસો કર્યો હતો.

કાર્તિક આર્યને કહ્યું, “મારી મમ્મી ઈચ્છે છે કે સેટલ થતાં પહેલાં આગામી ૩-૪ વર્ષ હું ખૂબ કામ કરું. તેઓ નથી ઈચ્છતા કે મારું ધ્યાન વહેંચાઈ જાય. હું પણ અત્યારે મારા કામ પર જ ધ્યાન આપી રહ્યો છું. સારું છે કે, તેમના તરફથી અત્યાર સુધી કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. જાેકે, મારા જીવનમાં પ્રેમ માટે જગ્યા ચોક્કસથી છે. કાર્તિક આર્યન હાલ બોલિવુડના ટોચના કલાકારોની યાદીમાં છે.

પરંતુ તે પોતાનો અભિનય માત્ર હિન્દી ફિલ્મો સુધી જ સીમિત નથી રાખવા માગતો. કાર્તિકે કહ્યું, “હું કોઈપણ ભાષામાં ફિલ્મ કરવા માટે તૈયાર છું પણ અંતિમ ર્નિણય સ્ક્રીપ્ટના આધારે લઈશ. હું તમિલ અથવા તેલુગુ ફિલ્મ કરવાનું પસંદ કરીશ.”

કાર્તિક ઈચ્છે છે કે, ફિલ્મમેકર્સ એવું માને કે, જે-તે પાત્ર તેના કરતાં સારું કોઈ નહીં ભજવી શકે. “હું ઈચ્છું છું કે, તેમને મારા સિવાય કોઈ એક્ટર ના દેખાય. મને લાગી રહ્યું છે કે હું ત્યાં પહોંચી રહ્યો છું. આવતા વર્ષ સુધી તેમની પાસે મારા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે”, તેમ એક્ટરે ઉમેર્યું.

વર્કફ્રંટની વાત કરીએ તો, ક્રિતી સેનન સાથે કાર્તિક આર્યન ‘શહેઝાદા’માં જાેવા મળશે. કિયારા અડવાણી સાથે ‘સત્ય પ્રેમ કી કથા’માં દેખાશે. આ ઉપરાંત હંસલ મહેતાની ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ પણ છે. ચર્ચા તો જાેરશોરથી છે કે, ‘હેરાફેરી ૩’માં પણ કાર્તિક આર્યન મહત્વના રોલમાં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.