Western Times News

Gujarati News

રાજ્યમાં AAP સરકાર બનાવશે, તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે રાજ્યમાં સરકાર કોની બનશે તે અંગે ૮મી ડિસેમ્બરના રોજ માલુમ થશે, જાેકે આજે જે પણ એક્ઝિટ પોલ મારફતે લોકોએ આ અંદાજ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે કે ગુજરાતમાં કોણ જીત મેળવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તમામ એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બની શકે છે. એક્ઝિટ પોલમાં ભાજપ સત્તા પર આવશે તેવી અટકળો વચ્ચે આમ આદમી પાર્ટીના ઝ્રસ્ના ચહેરા ઈસુદાન ગઠવીએ કહ્યું કે એક્ઝિટ પોલ મારફતે પરિણામ અંગે અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર બનાવશે નહીં.

અમે એટલે કે આમ આદમી પાર્ટી પ્રથમ તબક્કામાં ૫ૌ કરતાં વધારે બેઠક જીતશે જ્યારે બીજા તબક્કામાં ૫૨ કરતાં વધારે બેઠક જીતશે. તમામ એક્ઝિટ પોલની આગાહીને ખોટી ઠરાવતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે આ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાજપને ૧૩૧-૧૫૧ બેઠક મળી શકે છે. કોંગ્રેસને ૧૬-૩૦ બેઠક, જ્યારે આમ આદમી પાર્ટીને ૯-૨૧ બેઠક મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠક છે.

એબીપી ન્યૂઝના સીવોટરના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને ૧૨૮-૧૪૦ બેઠક, કોંગ્રેસને ૩૧-૪૩ બેઠક તો આમ આદમી પાર્ટીને ૩-૧૧ બેઠક મળી શકે છે. આ સાથે મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવે છે કે ભાજપ રાજ્યમાં સત્તાને જાળવી રાખશે.

ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલમાં પણ ભાજપની સરકાર બનશે તેમ જણાવાયું છે. જેમાં ભાજપને ૧૧૭થી ૧૪૦, કોંગ્રેસને ૩૪થી ૫૧, આમ આદમી પાર્ટીને ૦૬થી ૧૩ બેઠકો જ્યારે અપક્ષોને શૂન્ય બેઠક મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અલબત એક પણ એક્ઝિટ પોલમાં આમ આદમીને બહુમતી મળતી હોવાની વાત કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.