Western Times News

Gujarati News

ગુના બાદ આરોપીના મોઢે પોપટની જેમ સત્ય ઉકેલાવતો નાર્કો ટેસ્ટ

નાર્કો ટેસ્ટ દરમિયાન વ્યક્તિના હિપ્રોટિક સ્ટેજને મોનિટર કરવા માટે કેટલીક એડવાન્સ્ડ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવે છે

દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસની હકીકત જાણવા માટે ૧ ડિસેમ્બર ર૦રરના રોજ આફતાબ પુનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો આફતાબે તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા બાદ તેના ૩પ ટુકડા કરવાનો અને આ ટુકડાઓને સગેવગે કરવાનો આરોપ છે. આરોપી પાસેથી તપાસ એજન્સીને સંતોષકારક જાણકારી મળી શકી નથી. અપરાધીના મોઢે પોપટની જેમ સત્ય ઓકાવતા નાર્કો ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન હકીકતમાં શું થાય છે? નાર્કો- એનાલિસિસ ટેસ્ટને જ નાર્કો ટેસ્ટ કહેવામાં આવે છે.

કાયદાકીય કેસની તપાસમાં આ પરિક્ષણની મદદ લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટની સફળતા પર હંમેશા સવાલો અને વિવાદો જન્મ લેતા રહે છે અને કોર્ટે પણ આ ટેસ્ટને અમાન્ય ગણાવે છે. નાર્કો ટેસ્ટ કેવી રીતે અને કોણ કરે છે ? નાર્કો ટેસ્ટમાં કઈ દવા કે ઈન્જેકશનનો ઉપયોગ થાય છે, આ દવા અને ઈન્જેકશનની કેવી રીતે કામ કરે છે? આ ટેસ્ટનો સકસેસ રેટ કેટલો હોય છે? નાર્કો ટેસ્ટના સાઈડ ઈફેકટસ શું હોય છે ? આ તમામ સવાલોના જવાબ તમે જાણશો આ આર્ટિકલમાં એનસીબીઆઈ અનુસાર, નાર્કો ટેસ્ટ એક ડિસેપ્શન ડિટેકશન ટેસ્ટ છે, આ કેટેગરીમાં પોલીગ્રાફ અને બ્રેઈન મેપિંગ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. અપરાધ સાથે જાેડાયેલી હકીકતો અને પુરાવાઓ શોધવા દરમિયાન નાર્કો ટેસ્ટથી ઘણી મદદ મળીશકે છે.

કિલનિકલ સાયકોલોજીસ્ટ વિકાસ ખન્ના અનુસાર, આ ટેસ્ટ વ્યક્તિને સંમોહન એટલે કે હિપ્રોટિઝમની સ્થિતિમાં લઈ જાય છે, જયાં તેનું ચેતન મન કમજાેર (ના સંપુર્ણ રીતે જાગ્રત ના સુષુપ્ત) બની જાય છે અને તે જાણકારી આપતા પહેલાં સમજવા- વિચારવાની સ્થિતિમાં નથી રહેતો. એનસીબીઆઈ કહે છે કે, કોર્ટમાં નાર્કો ટેસ્ટની રિપોર્ટ માન્ય નથી, પરંતુ તપાસ એજન્સીઓ થર્ડ ટોર્ચરના માનવીય વિકલ્પ તરીકે તેની અનુમતિ લે છે. મીડિયા રિપોટર્સ અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ કરનાર આંબેડકર હોસ્પિટલના ડોકટર નવીન કુમારે જણાવ્યું કે, નાર્કો ટેસ્ટની ટીમમાં એનસ્થિસિયોલોજીસ્ટ, માઈકોલોજીસ્ટ, ટેકનીશિયન અને મેડિકલ સ્ટાફ હોય છે.

પહેલા આરોપીની નસમાં ઈન્જેકશનથી એનેસ્થેસિયા ડ્રગ (હિપ્રોટિક ડ્રગ્સ) આપવામાં આવે છે, ત્યારબાદ વ્યક્તિના હિપ્રોટિક સ્ટેજ પર પહોંચ્યા બાદ તેને જરૂરી સવાલો કરવામાં આવે છે. ગુરુગ્રામ સ્થિત આર્ટેમિસ હોસ્પિટલના ન્યૂરોલોજીસ્ટ ડોકટર ભૂપેશ કુમાર અનુસાર નાર્કો ટેસ્ટ પહેલાં વ્યક્તિનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે જેમાં લંગ્સ ટેસ્ટ, હાર્ટ ટેસ્ટ જેવા પ્રી-એનેસ્થિસિએટિક ટેસ્ટ હોય છે. આ સિવાય નાર્કો ટેસ્ટ દરમિયાન વ્યક્તિના હિપ્રોટિક સ્ટેજને મોનિટર કરવા માટે કેટલીક એડવાન્સ્ડ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવે છે. વૈશાલી સ્થિત મેકસ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના એડવાઈઝર ડોકટર સીતલા પ્રસાદ પાઠક અનુસાર નાર્કો ટેસ્ટમાં ૩૦૦એમએલ ડિસ્ટિલ્ડ વોટરમાં મિકસ કરેલી ૩ ગ્રામ સોડિયમ પેન્ટોથલનો ઉપયોગ થાય છે.

આ ડોઝ આરોપી/ ટેસ્ટ કરાવનાર વ્યકિતના વજન પર નિર્ભર કરે છે, જે સોડિયમ પેન્ટોથલ ર.પ સોલ્યૂશનના ૪ એમએલ/મીન રેટ પર થઈ શકે છે. ડોકટર ભૂપેશ કુમાર અનુાસર, નાર્કો ટેસ્ટના ટુથ સિરમમાં સોડિયમ થિયોપેન્ટલની સાથે સોડિયમ એમિટેલ સોલ્ટ પણ મિકસ કરવામાં આવે છે. આ સીરમનો ડોઝ વ્યક્તિ દીઠ અલગ અલગ હોઈ શકે છે અને મોનિટરિંગ ડોકટર અસરને ધ્યાનમાં રાખીને ડોઝમાં વધારો કે ઘટાડો કરી શકે છે. ન્યૂરોલોજીસ્ટ ડોકટર ભૂપેશકુમાર અનુસાર, દવાઓ વ્યક્તિને હિપ્રોટિક સ્ટેજમાં લઈ જાય છે જેથી તે સમજી વિચારીને કંઈ બોલી કે છુપાવી નથી શકતો. આ સ્થિતિમાં આરોપીની પાસેથી સવાલોના જવાબ મળી શકે છે.

જાેકે, વ્યક્તિ લાંબા જવાબ આપવાની સ્થિતિમાં નથી હોતો અને તે ટૂકડા ટૂકડામાં જાણકારી આપે છે. ર૬/૧૧ મુંબઈ એટેક અને સ્ટેમ્પ ફ્રી કૌભાંડની તપાસમાં નાર્કો ટેસ્ટ દ્વારા હકીકતને સામે લાવવામાં ઘણી મહત્વની ભૂમિકા હતી. જાેકે, આરૂષિ મર્ડર કેસમાં આ પરિશ્રણથી સફળતા નહોતી મળી શકી. એવામાં તેના સકસેસ રેટ પર વાત કરતા ડોકટર વિકાસ ખન્નાએ જણાવ્યું કે, કમજાેર ચેતન મનની સ્થિતિમાં કલ્પનાશક્તિ ઘણી ઝડપી થઈ જાય છે. જેમાં અજાણતા વ્યક્તિ કેટલીક કાલ્પનિક જાણકારી પણ આપી શકે છે. જાે નાર્કો ટેસ્ટમાં મળેલી જાણકારી પુરાવાઓને એકઠા કરવા અથવા ગુનાનો કોયડો ઉકેલવામાં મદદ કરે છે, તો જ તેને સફળ ગણી શકાય છે.

જાેકે આ ટેસ્ટની સફળતાનો નિર્ણય કોર્ટ પર નિર્ભર કરે છે. નાર્કો ટેસ્ટના મનોવૈજ્ઞાનિક દુષ્પ્રભાવ અંગે ડોકટર ખન્નાએ જણાવ્યું કે, આ ટેસ્ટ વ્યક્તિમાં આધિનતાનો ભાવ પેદા કરે છે જેનાથી ચિડયાપણું, ચિંતા જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જાેવા મળી શકે છે કેટલાક કેસમાં નાર્કો ટેસ્ટ બાદ લાંબા સમય સુધી એન્ઝાયટી અને કમજાેર યાદશક્તિ પણ જાેવા મળી હતી, જાેકે તેનું કોઈ મેડિકલ પ્રમાણ નથી. ન્યૂરોલોજીસ્ટ ડોકટર ભૂપેશકુમારે જણાવ્યું કે, એક સ્વસ્થ વ્યક્તિ પર નાર્કો ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી દવાનો દુષ્પ્રભાવ થવાની શકયતાઓ લગભગ નહીવત હોય છે પરંતુ હિપ્રોટિકસ ડ્રગના હાઈ ડોઝના કારણે રેપ્સિરેટરી અને હદયરોગના દર્દીનું બ્લડપ્રેશર ઘટી શકે છે.

જેના કારણે તેને શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે અને કોમા અથવા મૃત્યુ જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે તેથી જ નાર્કો ટેસ્ટ પહેલાં વ્યક્તિનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે. નાર્કો ટેસ્ટમાં ખર્ચ પર તમામ નિષ્ણાતોનો મત એક જ હતો કે, તે માત્ર સરકાર દ્વારા પ્રમાણિત સરકારી સંસ્થાઓ અને નિષ્ણાતોની દેખરેખમાં જ કરવામાં આવે છે, આ માટે કોર્ટની મંજૂરીનું પ્રમાણ પત્ર અતિ આવશ્યક છે. તેથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા સંસ્થા આ ટેસ્ટનો દાવો નથી કરી શકતી અને ખર્ચની સ્થિતિ ઉભી જ નથી થતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.